જીવલેણ કોરોના વાઈરસનો કેર દેશભરમાં ફેલાયો છે. કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કર્ણાટકમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના નવા ૧૫ દર્દીઓ સામે આવ્યા છે અને કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૭૫ થઈ ગઈ છે. તો અન્ય તરફ કોરોનાને કારણે 24 કલાકમાં 321 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
કોરોના બન્યો ઘાતક
ઈરાનમાંથી 150 ભારતીયોને લવાશે પરત
કોરોનાને કારણે 24 કલાકમાં 321 લોકોએ ગુમાવ્યો જીવ
વિશ્વમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ
સમગ્ર વિશ્વમાં હાલ ૧,૩૪,૬૭૯ લોકો આ ઘાતકવાયરસથી ચેપગ્રસ્ત છે અને ૪,૯૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના સત્તાવાર અહેવાલ અનુસાર, ગઈ કાલે ગુરુવારે ૨૪ કલાકમાં દુનિયાભરમાં ૩૨૧ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. હાલ દુનિયાના ૧૨૬ દેશોમાં ખતરનાક કોરોનાવાયરસ ફેલાઈ ગયો છે અને તેનો ચેપ સતત વધતો જાય છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા અંદાજે 5000ની નજીક હોવાનું કહેવાય છે.
અહીં રાખવામાં આવશે ઈરાનથી પરત આવેલા ભારતીયોને
કોરોના વાયરસ મહામારી જાહેર થયા બાદ ઈરાનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી રહેલા લગભગ ૩૫૦ ભારતીય નાગરિકોને જેસલમેરમાં ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. સેનાના પ્રવક્તા (રાજસ્થાન) કર્નલ સોમિત ઘોષે જણાવ્યું હતું કે, ઈરાનથી પરત લાવવામાં આવનારા અંદાજે ૧૨૦ ભારતીયોની પહેલી ટીમ આજે જેસલમેર પહોંચી જશે.
તેમણે કહ્યું કે, ઈરાનથી ૧૨૦ ભારતીયોને લઈને એર ઇન્ડિયાનું ખાસ વિમાન આજે જેસલમેર પહોંચી રહ્યું છે. તેમને જેસલમેરમાં સેના દ્વારા તૈયાર કરાયેલા એક આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. આ તમામ ભારતીયોની એરપોર્ટ પર પણ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ સ્થાનિક પ્રશાસન તેમને આઈસોલેશન વોર્ડમાં રાખશે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, ઈરાનથી ૨૫૦ લોકોનું બીજું એક જૂથ ૧૫ માર્ચે જેસલમેર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, સેનાએ કોરોના સામેની લડાઈમાં તંત્રની મદદ માટે રાજસ્થાનમાં જેસલમેર-જોધપુર અને સુરતગઢમાં સ્પેશિયલ આઈસોલેશન સેન્ટર સ્થાપ્યા છે.