અફઘાનિસ્તાનના નંગરહાર વિસ્તારમાં એક મસ્જિદમાં જુમ્માની નમાઝના સમયે બે બોમ્બ વિસ્ફોટ થયો જેમાં અત્યાર સુધીમાં કુલ 62 લોકોના મોત થયા છે. આ દરમિયાન મસ્જિદમાં હાજર અન્ય 60 નમાઝી ઇજાગ્રસ્ત પણ થયા.
મસ્જિદમાં થયેલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત
બ્લાસ્ટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
અફઘાનિસ્તાનમાં નંગરહાર વિસ્તારમાં શુક્રવારે એક મસ્જિદની અંદર બે બ્લાસ્ટ થયા જેમાં કુલ 62 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટમાં 60 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.
મળતી માહિતી અનુસાર, સ્થાનિક અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ઘટના બપોર 2 વાગ્યે બની છે. આ હુમલો હસ્કા મેયના જિલ્લાના જૉ ડેરા વિસ્તારમાં આવેલ મસ્જિદમાં થયો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. વધુ પડતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી હુમલાની જવાબદારી કોઇ પણ આતંકવાદી સંગઠને નથી લીધી.
ગજની યુનિવર્સિટીની અંદર થયેલ બ્લાસ્ટમાં 6 જેટલા વિદ્યાર્થીઓ થયા હતા ઇજાગ્રસ્ત
આ પહેલા થોડા સમય અગાઉ જ અફઘાનિસ્તાનના ગજની શહેરમાં બ્લાસ્ટ થયો. ગજની યુનિવર્સિટીની અંદર થયેલ બ્લાસ્ટમાં અડધો ડઝન વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
જલાલાબાદ બ્લાસ્ટમાં 10ના મોત થયા હતા
અફઘાનિસ્તાનના નંગરહાર રાજ્યની રાજધાની જલાલાબાદમાં સુરક્ષા દળોની એક મિનીબસને નિશાન બનાવીને કરવામાં આવેલ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.