આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં હોડી પલટી મારતા અનેક લોકો ડૂબ્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં નદીમાં પૂર આવવાને કારણે ભરપૂર પાણી પણ વહી રહ્યું છે. ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13નાં મોત નિપજ્યાં છે અને 23ને બચાવી લેવાયાં છે. પરંતુ હજી પણ NDRF અને SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે.
આંધ્રપ્રદેશ પર્યટન વિકાસ નિગમની આ હોડીમાં ક્રૂ મેમ્બર્સ સહિત 60 લોકો સવાર હતાં
હોડી પ્રમુખ પર્યટન સ્થળ પાપીકોંડાળુથી રવાના થઇ અને કચ્છલુરુ નજીક ડૂબી ગઇ
NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે
આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં ગોદાવરી નદી (Godavari River) માં એક હોડી પલ્ટી જતા અનેક લોકોનાં ડૂબવાની આશંકા સેવાઇ રહી છે. નદીમાં હાલમાં પૂર આવ્યું છે. ત્યારે પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, અંદાજે 23 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. પરંતુ અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે. મહત્વનું છે કે નદીમાં તો અંદાજે 60 લોકો સવાર હતાં. એસડીઆરએફ અને એનડીઆરએફની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ દુર્ઘટના સર્જાતા આ વિસ્તારની તમામ હોડી સેવા તાત્કાલિક બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
Andhra Pradesh: Tourist boat capsizes in Godavari river in Devipatnam, East Godavari district. 61 people were on-board at the time of incident, no casualties reported so far. Two National Disaster Response Force (NDRF) teams of 30 members each, sent for rescue operations.
સરકારે પીડિત પરિવારોને 10 લાખના વળતરની કરી જાહેરાત
આંધ્રપ્રદેશ સરકારે દુર્ઘટનામાં પીડિત પરિવારોને 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સરકારમાં મંત્રી અવંતી શ્રીનિવાસની સાથે જ જિલ્લામાં હાજર મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કામગીરી કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઇસ્ટ ગોદાવરી જિલ્લાના જિલ્લા અધિકારીઓ અને અધિકારીઓ સાથે વાત કરીને દુર્ઘટનાના સંબંધનમાં જાણકારી આપી. મહત્વનું છે કે ગોદાવરી હોડી દુર્ઘટના પીએમ મોદીએ દુઃખ વ્યક્ત, પીડિત પરિવારોને સાંત્વના આપી.
મુખ્યમંત્રીએ માંગ્યો રિપોર્ટ
મુખ્યમંત્રી રેડ્ડીએ અધિકારીઓ પાસેથી આ દુર્ઘટના પર વિસ્તૃત રિપોર્ટ આપવા અને દુર્ઘટનાને લઇને એક્સપર્ટ કમિટીની સલાહને અનુરૂપ સેફ્ટી ગાઇડલાઇન રજૂ કરવામા કહ્યું છે. મુખ્યમંત્રીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા અધિકારીઓ પાસેથી વિસ્તૃત રિપોર્ટ માંગી છે. મુખ્યમંત્રી રેડ્ડીએ અધિકારીઓને યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસથે રાહત કાર્યમાં ઓનજીસી અને નૌસેનાના હેલિકોપ્ટરોનો પણ ઉપયોગ કરવાનું કહ્યું છે.
દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશની દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેલંગાણાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કરતા પીડિત પરિવારો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી નદી ભારે તોફાને ચડી છે. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે નદીમાં ભારે પૂર સર્જાયું હતું. એસપી અદનાન અંસારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગેની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી તરફ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર હોડીમાં લગભગ 60 લોકો સવાર હતાં. આંધ્રપ્રદેશ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી સંચાલિત આ હોડી દેવીપાટનમ નજીક આવેલા ગાંધી પોચમ્મા મંદિરથી એક મુખ્ય પ્રવાસન સ્થળ પપિકોંડાલુ માટે ચાલી હતી.
દરમિયાન, રાજ્યનાં મુખ્ય સચિવ એલ.વી. સુબ્રહ્મણ્યમે પૂર્વી ગોદાવરી જિલ્લા કલેક્ટર મુરલીધર રેડ્ડી સાથે વાત કરી અને આ ઘટના અંગે પૂછપરછ કરી હતી. આ સાથે જ મુખ્ય સચિવે એવો નિર્દેશ આપ્યો હતો કે હોડી દુર્ઘટનાનાં પીડિતોને શોધવા માટે એક હેલિકોપ્ટરને સેવામાં લગાવવું જોઈએ. પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાંથી પોલીસ અને અન્ય બચાવ ટીમો દુર્ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.