મહારાષ્ટ્રના માલેગાંવમાં મંગળવારે એક દુર્ઘટના બની હતી. જેમાં એક બસ અને ઓટો રિક્ષા અથડાયા બાદ કૂવામાં ખાબક્યા હતા. દુર્ઘટના વખતે બસમાં 35 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા. જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા. મળતી માહિતી અનુસાર, કેટલાક લોકોની શોધખોળ પણ ચાલી રહી છે.
બસ અને રિક્ષા કૂવામાં ખાબક્યા
દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
મહારાષ્ટ્રના માલેગાંવમાં બસ અને ટક્કર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર બન્ને વાહન રોડના કાંઢે આવેલ કુવામાં ખાબક્યા. એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તરી મહારાષ્ટ્ર જિલ્લામાં માલેગાંવ-દેઓલા રોડ પર મેશી ફાટા પર સાંજે બનેલી દુર્ઘટનામાં 18થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય પરિવહનની ઝડપથી આવી રહેલ બસે ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી, જેમાં 10થી વધુ લોકોના મોત થયા છે.
નાસિક ગ્રામ્ય પોલીસ અધિકારી આરતી સિંહે જણાવ્યું કે 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 18 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે, મૃત્યુઆંક વધવાની સંભાવનાઓ છે.
અધિકારીએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોમાં વધુ પડતા બસના મુસાફરો છે. અધિકારીએ જણાવ્યું કે કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ અને સ્થાનિક બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. જોકે સ્થાનિક લોકો અને તંત્રની ટીમ લોકોને બહાર કાઢવામાં જોડાઇ છે.
બસ નાસિકથી ધુલિયા જઇ રહી હતી. મુસાફરોએ જણાવ્યું કે બસની સામે અચાનક એક ઓટો રિક્ષા આવી ગઇ હતી અને તેને બચાવવાના ચક્કરમાં બસ બેકાબૂ બની હતી.