કોરોના વાયરસ / એક જ દિવસમાં પાનના ૩૭૬ ગલ્લાને તાળાં મારનાર AMCએ બે મહિના સુધી રોજના બે ગલ્લાને પણ તાળાં ન માર્યાં!

Many Pan Masala Shops Closed AMC Ahmedabad gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આગામી નવેમ્બર-ડિસેમ્બર, 2020ની આસપાસ યોજવા માટે ચક્રો ગતિમાન કરનારા સત્તાવાળાઓ કોરોના મહામારીને ભૂલી ગયા હોવાનું લોકમુખે ચર્ચાતું રહ્યું છે. સરકારી યાદીમાં શહેરમાં કોરોનાના કેસ વધતાં અટકયા હતા. તેમ છતાં ગઇ કાલે અચાનક તંત્રે કોરોનાને વધુ ફેલાતો અટકાવવા જે રીતે આકરા પગલાં જાહેર કર્યા અને ખાસ તો પાનના ગલ્લાવાળાને ટાર્ગેટ કરાયા તેના કારણે અમદાવાદમાં છૂપી રીતે કોરોના વકરી રહ્યો હોવાનું પણ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. જો પાનના ગલ્લાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે તો તંત્રે બે મહિના સુધી ઘોર બેદરકારી દાખવી તે પણ પ્રકાશમાં આવ્યું છે. કેમ કે છેલ્લા 60 દિવસમાં સત્તાવાળાઓએ રોજના બે ગલ્લા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાવાના મામલે સીલ કર્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ