ગાંધીનગર: આજે કાળીચૌદરના પર્વ નિમિતે ગાંધીનગરમાં આવેલા મહુડીના ઘંટાકર્ણ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટ્યા છે.
મોટી સંખ્યામાં જૈન ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા. મહત્વનુ છે કે ઘંટાકર્ણ જૈનો માટે 24 તીર્થોમાંથી એક મહત્વનુ યાત્રાધામ ગણાય છે. જૈન ધર્મનુ પ્રસિદ્ધ મહત્વનુ તેમજ પાવનધામ મહુડી મનાય છે.
કાળી ચૌદસનુ અનોખું મહત્વ હોવાથી દર વર્ષે ભક્તોનો મોટાપાયે મહુડીમાં ઘસારો હોય છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે.