કેપ્ટન અમરિંદર સિંહ ગુરુવારે દિલ્હીથી ચંદીગઢ પરત ફર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભાજપમાં નથી જઈ રહ્યાં. જોકે, તેમણે એમ પણ કહ્યું છે કે, તેઓ હવે કોંગ્રેસમાં રહેશે નહીં.
કેપ્ટને તાજેતરમાં ગૃહમંત્રી અમિતશાહ અને અજીત ડોભાલને મળ્યાં હતાં.
અમરિંદર સમર્થકો પાસેથી લઈ રહ્યાં છે સલાહ
કેપ્ટન અમરિંદર સિંહ હવે નહી રહે કોંગ્રેસમાં
કેપ્ટન તાજેતરમાં ગૃહમંત્રી અમિતશાહ અને અજીત ડોભાલને મળ્યાં હતાં.
પંજાબાના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં નવા રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણવ્યા પ્રમાણે આગામી 15 દિવસમાં નવી પાર્ટીની રચના કરશે. મહત્વનું છે કે, કોંગ્રેસના એક ડઝન જેટલા નેતાઓ પણ તેમના સંપર્કમાં છે. હકીકતમાં, કેપ્ટને સીએમ પદેથી રાજીનામું આપ્યું ત્યારથી સતત અટકળો ચાલી રહી હતી કે, કાં તો ભાજપમાં જઈ શકે છે. અથવા નવી પાર્ટી બનાવી શકે છે. તેમણે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ મળ્યા હતા.
અમરિંદર સમર્થકો પાસેથી લઈ રહ્યાં છે સલાહ
એવું કહેવામાં આવી રહ્યું છે કે અમરિંદર સિંહ સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં કેટલાક ખેડૂત નેતાઓને પણ મળી શકે છે. તે પછી તેઓ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓ અમરિંદરના સમર્થનમાં છે. તેઓ કેપ્ટનના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
કેપ્ટન અમરિંદર સિંહ હવે નહી રહે કોંગ્રેસમાં
કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસમાં નહીં રહે. એટલે કે, ટૂંક સમયમાં તે પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપમાં નહીં જાય. કેપ્ટને 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. પંજાબ કોંગ્રેસના 40 ધારાસભ્યોએ તેમની સામે મોરચો ખોલ્યો હતો. કેપ્ટન સાડા 9 વર્ષ સુધી પંજાબના મુખ્યમંત્રી રહ્યા છે. તેમની 5 દાયકાની રાજકીય કારકિર્દી છે.