અરવલ્લી જિલ્લામાં સેટેલાઇટ દ્વારા જમીન સર્વેમાં અનેક છબરડા બહાર આવ્યા છે. જિલ્લાના 15 હજારથી વધુ ખેડૂતોએ જમીન રિ-સર્વે માટે અરજીઓ કરી છે.
ખેડૂતોએ જમીનમાં થયેલા છબરડા દૂર કરવા માટે જિલ્લા DI-LR કચેરીમાં રિસર્વે કરવા માટે અરજીઓ કરી છે. જમીન માપણીમાં જિલ્લાના અનેક ખેડૂતોની જમીન ઘટી ગઈ છે તો કેટલા ખેડૂતોની જમીન વધી ગઈ છે.
એક સર્વે નંબરના ત્રણ ત્રણ સર્વે નંબર પણ થઈ જવાના છબરડા બહાર આવ્યા છે. સેટેલાઇટ સર્વેથી અનેક ખેડૂતોને પાયમાલ કરવાની સાથે ઘરોમાં ઝઘડા કરાવી રહ્યા છે.
તંત્ર દ્વારા જિલ્લાના ખેડૂતોની જમીનો માપણી કરી મૂળ માપ મુજબ જમીન કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે અનેક ખેડૂતો જમીન માપણીના છબરડા દૂર કરાવવા ધક્કી ખાઈ રહ્યાં છે.