કતર સરકારે જણાવ્યું છે કે ફીફા વર્લ્ડ કપ 2022ને લઈને સ્ટેડિય બનાવવા માટે 30,000 વિદેશી મજૂરોને લગાવવામાં આવ્યા હતા. હવે કતરાના જ એક અધિકારીએ ખુલાસો કર્યો છે કે સંપૂર્ણ તૈયારી સમયે 400થી 500 મજૂરોના મોત થયા હતા.
ફીફ વર્લ્ડ કપને લઈને ચોંકાવનારો ખુલાસો
30,000 વિદેશી મજૂરો સ્ટેડિયમ બનાવવા આવ્યા હતા
તૈયારી સમયે 400થી 500 મજૂરોના થયા મોત
કતરમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડ કપ 2022 એક વખત ફરી વિવાદોમાં છે. આ ટૂર્નામેન્ટ માટે ઘણા વર્ષોથી તૈયારી ચાલી રહી હતી. 200 અબજ ડોલરથી વધારેના સ્ટેડિયમ, મેટ્રો લાઈન અને ટૂર્નામેન્ટ માટે જરૂરી નવા પાયાના નિર્માણને લઈને હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને કામ પર લગાવવામાં આવ્યા હતા. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કામ વખતે જ તૈયારીઓની વચ્ચે હજારો મજૂરોના મોત પણ થયા છે.
મીડિયા રિપોર્ટમાં વર્લ્ડ કપની તૈયારીઓ વખતે થયેલા મોતના આંકડાને હજારોમાં જણાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ્સ બાદ માનવાધિકારના કતરની ખૂબ આલોચના કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં પણ કતરની આલોચના કરવામાં આવી રહી છે.
World Cup boss Hassan Al-Thawadi tells Piers Morgan 400-500 migrant workers have died as a result of work done on projects connected to the tournament.
આ અધિકારીએ કર્યો મોતના આંકડાનો ખુલાસો
હવે એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. ફીફા વર્લ્ડ કપ 2022ની તૈયારીને લઈને ઘણા મજૂરોના જીવ હયા છે. તેના આંકડા મળી ગયા છે. આ ખુલાસો ખૂદ ફીફા વર્લ્ડ કપના આયોજન સાથે જોડાયેલા કતરના મુખ્ય અધિકારી હસન અલ-થાવાડીએ કર્યો છે.
હસન કતરની 'ડિલીવરી અને લીગેસી' સાથે જોડાયેલા શીર્ષ સમિતિના મહાસચિવ છે. તેમણે બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગનને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તૈયારીઓમાં લગભગ 400થી 500ની વચ્ચે લોકોના મોત થયા છે. પિયર્સના આ ઈન્ટરવ્યૂની એક ક્લિક પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ત્યાં જ શીર્ષ સમિતિ અને કતરની સરકારે આ મામલે ચુપ્પી સાધી છે.
શું ખુલાસો કર્યો કતર અધિકારીએ?
બ્રિટિશ પત્રકાર મોર્ગને ઈન્ટરવ્યૂમાં હસનને પુછ્યું, 'વર્લ્ડ કપ સાથે જોડાયેલા કાર્ય કરવાના પરિણામ સ્વરૂપ પ્રવાસી શ્રમિકોના મોત સાથે જોડાયેલા ઈમાનદાર, યથાર્થવાદી આંકડા કયા છે? તેના જવાબમાં હસને કહ્યું, 'અનુમાન 400ની આસપાસ છે, 400 અને 500ની વચ્ચે. મારી પાસે સટીક સંખ્યા નથી. પરંતુ આ આંકડા પર આ પહેલા સાર્વજનિક રૂપથી ચર્ચા નથી કરવામાં આવી.'