કોરોના વાયરસનાં કારણે ચીનમાં ભયનો માહોલ ફેલાયો છે. ચીનનાં હુબેઈમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યાંથી વિશ્વનાં 22 જટેલા દેશોમાં ફેલાયો છે. ત્યારે ચીને આ વાયરસની અડફેટે આખુ ચીન કે પછી સમગ્ર વિશ્વ ન આવી જાય તે માટે તેણે પોતાનાં આ પ્રાંતનું બલિદાન આપી ત્યાનાં લોકોને ત્યાં જ લોક ડાઉન કરી દીધા છે.
2002-2003માં સાર્સથી લગભગ 650નાં મોત નિપજ્યા હતા
ચીનમાં કોરોનાના કારણે શનિવારે 86 લોકોના મોત થયા હતા.
કોરોના વાયરસની સૌથી પહેલી શરુઆત ચીનનાં વુહાનથી થઈ હતી. હુબેઈ પ્રાંતના વુહાનમાં કોરોના વાયરસની અસર બહું વર્તાઈ છે. ત્યાંથી જ તે 22 દેશોમાં ફેલાયો હોવાથી તેને ફેલાતો અટકાવવા ચીને હુબેઈને લોક ડાઉન કરી દીધું હતું. ત્યારે ચીનના હુબેઈમાં ફસાયેલા 15 વિદ્યાર્થીઓ શુક્રવારે રાત્રે કોચી પહોંચ્યા હતાં.
એર એશિયાનાં વિમાનથી ભારત લાવવામાં આવ્યા હતા
કોરોના વાઈરસનાં કારણે ચીનના હુબેઈ રાજ્યમાં ફસાયેલા કેરળના 15 વિદ્યાર્થીઓ શુક્રવાર રાત્રે કોચી પહોંચી ગયા છે. એરપોર્ટના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, ‘વિદ્યાર્થીઓ પહેલાં ચીનના કુંમિંગ એરપોર્ટથી બેંકોક પહોંચ્યા હતા. ત્યાર પછી એર એશિયાનાં વિમાનથી ભારત લાવવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓનું એરપોર્ટ પર તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. એ બાદ તેમને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં તેમને ઓબ્જર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
એસ જયશંકરે શુક્રવારે ટ્વીટ કરી કહ્યું...
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે, ‘ઘણા ભારતીય ક્રુ મેમ્બર્સ દળ અને યાત્રી કોરોના વાઈરસના કારણે જહાજ પર ફસાયા છે. અત્યાર સુધી કોઈ પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. અમે તેમની પર નજર રાખી રહ્યા છીએ.’
Many Indian crew & some Indian passengers are onboard the cruise ship #DiamondPrincess quarantined off Japan due to #Coronavirus. None have tested positive, as per the latest information provided by our Embassy @IndianEmbTokyo. We are closely following the developments.
ચીનના સ્વાસ્થ્ય આયોગનાં જણાવ્યા પ્રમાણે, ‘કોરાના વાયરસનાં 3399 નવાં કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 34,939 કેસની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે 725 લોકોનાં કોરાના કારણે મોત નિપજ્યાં હતા. ચીનના હુબેઈ પ્રાંતમાં ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી ચીનના 30થી વધારે શહેરોનું લોક ડાઉન કરવામાં આવ્યું છે. હુબેઈના વુહાન શહેરમાં લગભગ 5.6 કરોડો લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે.
જાપાનમાં જહાજ પર 64 લોકોમાં સંક્રમણની પુષ્ટિ
બીજી બાજુ, જાપાનના જહાજ પર સવાર લગભગ 64 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ ચુકી છે. જેમાં જાપાનના 28, અમેરિકાના 11 અને કેનેડાના સાત પ્રવાસીઓનો સમાવેશ થયો છે. જહેજા પર 56 દેશોના લગભગ 3700 લોકો છે. જેમાં 2,700 પ્રવાસી અને 1000 ક્રુ મેમ્બર્સ છે. જાપાન સરકારે બાકીના પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સને લગભગ 14 દિવસો સુધી જહાજ પર જ રહેવા માટે કહ્યું છે.
સાર્સ કરતા વધારે મૃત્યું આંક
ચીનનો આ આંકડો બે દશક પહેલા ચીન-હોંગકોંગમાં સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)થી મૃત્યુ પામનારા લોકોથી પણ વધારે છે. નોવેલ કોરોના વાઈરસ અને સાર્સ એક જ શ્રેણીનાં વાઈરસ છે. 2002-2003માં ચીન અને હોંગકોંગમાં સાર્સનાં કારણે લગભગ 500 લોકોના મોંત થયા હતા અન્ય દેશોમાં 120 જેટલા લોકોનાં મોત નિપજ્યા હતા.