આજથી સમગ્ર દેશમાં ડોમેસ્ટિક વિમાનોની સેવા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં છેલ્લા બે મહિનાથી ફસાયેલા ઘણા લોકો હવે પાછા તેમના રાજ્યોમાં જઇ શકશે. આ ઉપરાંત આજે ઈદને કારણે ઘણા લોકો તેમના પ્રિયજનોને મળવા પણ જઈ રહ્યા છે. જો કે એરપોર્ટ પહોંચ્યા પછી ઘણા મુસાફરોને જાણવા મળ્યું છે કે તેમની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અનેક મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક મુસાફરો ઘણા દિવસો પછી બહાર આવ્યા છે. તેઓ વિમાનમાં ચઢતા પહેલા સલામતી વગેરેનો ડરતા સતાવી રહ્યો છે. જો કે ઘણા લોકો ખુશ છે કે તેઓ ઘણા દિવસો પછી તેમના રાજ્યમાં પાછા ફરી રહ્યા છે.
કેટલીય ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી, પણ મુસાફરોને જાણ ન કરાઈ
કેટલાય મુસાફરોને સેફ્ટીની ચિંતા સતાવી રહી છે
આ શહેરોની ફ્લાઈટો રદ કરવામાં આવી
બીજેડી ના સાંસદ અનુભવ મોહંતી પણ સોમવારે દિલ્હી વિસ્તારાની ફ્લાઇટમાં નજરે પડ્યા હતા. તે દિલ્હી-ઓડિશા વિસ્તારા ફ્લાઇટમાં સવાર હતા. તેણે સાવચેતીના પગલા તરીકે તેના ચહેરા પર ફેસ શીલ્ડ લગાવ્યો હતો. તેણે કહ્યું કે બજેટ સત્ર પછી તે અહીં અટવાયા હતા. પરંતુ હવે તે પોતાના વતન ઓડિશા રાજ્યમાં પાછા ફરી રહ્યા છે.
Delhi: Passengers screened using a thermometer gun before boarding Vistara - Delhi to Bhubaneswar (Odisha) flight, scheduled to depart from IGI Airport, Terminal-3 at 6:50 am today. pic.twitter.com/WcAe44VBi8
દિલ્હી એરપોર્ટ ટર્મિનલ -3 પર લાંબી કતારો જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે આ વિમાન દિલ્હીથી જુદા જુદા રાજ્યોમાં ઉડાન ભરશે. અહીં તમામ મુસાફરોને ચઢતા પહેલા થર્મોમીટર ગનથી તપાસ કરવામાં આવી રહી છે.
સોમવારે સવારે એક વિમાન દિલ્હીથી પુણે પહોંચ્યુ હતુ. આ વિમાન દ્વારા પુણે પહોંચેલી એક મહિલા મુસાફરે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં ચઢતા પહેલા તે ગભરાઈ ગઈ હતી. પરંતુ તમામ મુસાફરો સાવચેતી લઈ રહ્યા છે. અત્યારે ખૂબ ઓછા લોકો મુસાફરી કરી રહ્યા છે.
તમિળનાડુના તમામ મુસાફરો સામાજિક અંતરનું ધ્યાન રાખી રહ્યા છે. વ્યવસાયિક ફ્લાઇટ્સથી અહીં આવનારા મુસાફરોની સંખ્યા 25 નક્કી કરવામાં આવી છે. છત્તીસગઢના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ઉતરેલા તમામ મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.
The first flight from Delhi's IGI airport since resumption of domestic flight operations, lands at Pune. A passenger who has arrived in the city by the flight says,"I was nervous before the flight but all passengers were taking precautions. Very few people travelling right now". pic.twitter.com/NgBY9L6h4i
મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર પણ લાંબી કતારો જોવા મળી રહી છે. ઉદ્ધવ સરકારે મુંબઇથી એક દિવસમાં 25 ફ્લાઇટ ટેક ઓફ અને તે જ સંખ્યામાં ફ્લાઇટ્સ લેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે ઘણા મુસાફરો અચનાક ફ્લાઇટને રદ કરવાથી ચિંતામાં છે.
એક મહિલા મુસાફરનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારે દરરોજ 25 વિમાનને ટેક ઓફ અને લેન્ડિંગ કરવાની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં દિલ્હીથી મહારાષ્ટ્ર જતા એર ઇન્ડિયાનું વિમાન રદ કરાયું હતું. મુસાફરનું કહેવું છે કે તેને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
Karnataka: Thermal screening of passengers being done before their entry into airport terminal building at Kempegowda International airport as domestic flight operations resume today pic.twitter.com/5qUV2B9g8B
બેંગ્લોર-હૈદરાબાદથી ચાલતી એર ઈન્ડિયાની ફ્લાઇટ પણ કોઈ સૂચના વિના રદ કરવામાં આવી છે. એક મુસાફરે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવાની માહિતી બોર્ડિંગ પાસ સ્કેન દરમિયાન મળી હતી. સમજાતું નથી હવે શું કરવું
સ્વાભાવિક છે કે બે મહિના પછી એરલાઇન શરૂ કરવામાં આવી છે. તે જ સમયે ઘણા રાજ્યોએ તેને છેલ્લી ક્ષણે શરૂ કરવાની સંમતિ આપી છે. આવી સ્થિતિમાં મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.