આસામ સરકારના સ્વાસ્થ્ય વિભાગે કોરોનાની રસીના 1 હજાર ડોઝને તપાસ માટે લેબમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ તમામ દવાઓ સિલ્વર મેડિકલ કોલેજની રસી સ્ટોરેજ યુનિટમાં રાખલામાં આવી હતી. આ તમામ દવાઓ જામેલી હાલતમાં મળી હતી. જે બાદ તેના ખરાબ થવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આસામ સરકારના અધિકારીઓના જણાવ્યાનુંસાર દવાઓના ખોટા મેન્ટેનન્સના મામલામાં સરકારે સિલચર મેડિકલ કોલેજને નોટિસ પાઠવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે નોટિસ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડના ખોટા મેન્ટેનન્સને લઈને જારી કરવામાં આવી છે.
શનિવારે થઈ આ મામલાની જાણ
જો કે હેલ્થ ડિપાર્ટમેન્ટે હજું એ સ્પષ્ટ નથી કર્યુ કે રસીના આ ડોઝ હજું ખરાબ થયા છે કે નહીં. અધિકારીઓના જણાવ્યાનુંસાર રસીના ખોટા મેનેજમેન્ટના આ મામલાની જાણ ત્યારે થઈ જ્યારે શનિવારે આ કોરોના રસીકરણ ડ્રાઈવની શરુઆત થઈ. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના રસીકરણ ડ્રાઈવની શરુઆત 16 જાન્યુઆરીએ થઈ છે અને આના પહેલા ચરણમાં લોકોને કોવેક્સીન અને કોવિશીલ્ડ નામની 2 દવાઓના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
દેશમાં 6 લાખ લોકોને રસી અપાઈ
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશમાં 6 લાખ લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી છે. જેમાંથી 1 હજાર લોકોમાં આડ અસર જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે 0.18 ટકા લોકોને વેક્સિન લગાવ્યા બાદ આડ અસર થઈ છે. જ્યારે 0.002 ટકા લોકો એવા છે જેમને વેક્સિન આપ્યા બાદ દાખલ કરવા પડ્યા છે. નોંધનીય છે કે દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ હતી.