PM મોદીના ડ્રીમ પ્રોજેક સી-પ્લેન પ્રોજેક્ટ છેલ્લા અઢી મહિનાથી બંધ છે, 50 વર્ષ જૂનું સી-પ્લેન રિપેર કરીને ચલાવે છે સી-પ્લેને ગત એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં છેલ્લી ઉડાન ભરી હતી ત્યાર બાદ માલદિવ ખાતે મેન્ટેનન્સ માટે ગયું હતું અને પરત ફર્યું નથી
સી-પ્લેન પ્રોજેક્ટ છેલ્લા અઢી મહિનાથી બંધ
પ્લેન મેન્ટેનન્સ માટે ગયુ હતુ માલદિવ્સ
માલદિવ્સ ગયા બાદ પ્લેન ન આવ્યું પરત
દેશમાં પ્રથમ વાર ગુજરાતના અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સેવા શરૂઆત કરવામાં આવી હતી. જેને 31 ઓક્ટોબર-2020ના વડાપ્રધાને સફર કરીને વિવિધત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ 20થી 25 જેટલી ઉડાનો ભરીને સી-પ્લેન મેઇન્ટનન્સ માટે માલદિવ્સ મોકવામાં આવ્યું હતું. સી-પ્લેનના મેઇન્ટનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રએ દાવાઓ કર્યાં, પણ સુવિધા ઉભી ન કરતા દર એક-દોઢ મહિને મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવે છે. જો કે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ 50 વર્ષ જૂનું હોવાનું જાણ થતા પ્રવાસીઓ પણ આ સી પ્લેનમાં બેસવા માટે મુંજવણ અનુભવતા હતા. અત્યાર સુધીમાં 4 વાર મેંટેનસ માટે સી પ્લેન ને મુક્લવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક સી-પ્લેન પ્રોજેક્ટ છેલ્લા અઢી મહિનાથી બંધ છે. 50 વર્ષ જૂનું સી-પ્લેન રિપેર કરીને ચલાવે છે. સી-પ્લેને ગત એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં છેલ્લી ઉડાન ભરી હતી. ત્યાર બાદ માલદિવ ખાતે મેન્ટેનન્સ માટે ગયું હતું. અને પરત ફર્યું નથી. તો આ સેવા પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પણ સુવિધા અને સેવા નિયમિત ચાલતી નથી.
છેલ્લે સી-પ્લેન 8 એપ્રિલ-2021ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. જે બાદ 17 એપ્રિલે 2021ના રોજ સી-પ્લેન અમદાવાદથી માલદિવ ગયું છે. તે હજી પરત આવ્યું જ નથી. કોરોના કાળમાં સેવા બંધ થઇ તે ફરી ચાલુ થઇ નથી. આજે અઢી મહિના થયા પણ આધિકારીઓને પણ ખબર નથી કે, આ સેવા ક્યારે શરૂ થશે. નવા CEO સેવા ચાલુ કરાવે એવી પ્રવાસીઓમાં માગ ઉઠી છે.
દેશમાં પ્રથમવાર ગુજરાતના અમદાવાદથી કેવડિયા વચ્ચે સેવા શરૂઆત કરવામાં આવી હતી. જેને વડાપ્રધાને સફર કરીને વિવિધત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ માંડ 20થી 25 જેટલી ઉડાનો ભરીને સી-પ્લેન મેઇન્ટનન્સ માટે માલદિવ્સ મોકવામાં આવ્યું હતું. સી-પ્લેનના મેઇન્ટનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રએ દાવાઓ કર્યાં, પણ સુવિધા ઉભી ન કરતા દર એક-દોઢ મહિને મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવે છે.જોકે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું ત્યારથીજ જે 50 વર્ષ જૂનું હોવાનું જાણ થતા પ્રવાસીઓ પણ આ સી પ્લેનમાં બેસવામાટે મુંજવણ માં મુકાયા હતા અને અત્યાર સુધીમાં 4 વાર મેંટેનસ માટે સી પ્લેન ને મુક્લવામાં આવ્યું છે
ફ્લાઈંગ અવર પૂરા થતાં ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે સી-પ્લેનને માલદિવ્સ મોકલ્યું હતું. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતાં સી-પ્લેન ત્રણ મહિને પણ પરત નથી આવ્યું. હવે કોરોના કેસ ઘટવા છતાં હજી સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી, તેવુ તંત્ર દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે સી-પ્લન ક્યારે શરૂ થશે, તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે.દેશમાં પહેલીવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા સુધી 1 નવેમ્બર 2019થી સી-પ્લેન સફર શરૂ કરાઇ હતી. સી-પ્લેનના મેઇન્ટેનન્સની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી એને દર એક-દોઢ મહિને માલદિવ્સ મોકલવામાં આવે છે.