શરદી-ખાંસી, તાવ અને વાયરલ જેવી બીમારીઓથી બચવા માટે ગરમાગરમ સૂપ બહુ જ ફાયદાકારક હોય છે. સાથે જ તે હાલ વાયરલ, ફ્લૂ અને કોરોનાનો ડર સતત સતાવતો રહે છે. એવામાં શરીર અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ગરમા ગરમ સૂપ બોડીને ગરમાવો આપે છે. સાથે જ તેનાથી જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે.
વાયરલ, ફ્લૂ, શરદીથી બચવા પીઓ સૂપ
આનાથી શરીરને પોષક તત્વો મળશે
કોરોના સામે પણ મળશે રક્ષણ
આમ તો મોટાભાગના લોકોને સૂપ પીવો પસંદ હોય છે પણ કેટલાક લોકો એવા હોય છે જેમને સૂપ પીવાનો યોગ્ય સમય ખબર હોતી નથી. સાથે જ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૂપ લેવાની માત્રા પર નિર્ધારિત છે, આ માત્રાથી વધારે સૂપ પીવાથી નુકસાન પણ થઈ શકે છે. જેથી આ વાત જાણવી જરૂરી છે કે ક્યારે અને કેટલી માત્રામાં સૂપ પીવાં જોઈએ. ચાલો જાણીએ.
સૂપની અઢળક વેરાયટી
સામાન્ય રીતે શાકભાજી, દાળ, નોનવેજ અને હર્બ્સથી સૂપ બને છે. કેટલાક સૂપ મિક્સ કરીને બનાવવામાં આવે છે જેમ કે સૂપની વેજ ગ્રેવી બનાવીને તેમાં બેક્ડ કે સ્ટીમ ચિક્નના પીસ નાખવામાં આવે છે. તેનાથી સૂપનો સ્વાદ વધવાની સાથે તેની પૌષ્ટિકતા પણ વધી જાય છે.
કોણે કેટલું સૂપ પીવું?
સૂપ પીવાથી દરેક ઉંમરના લોકોને ફાયદો થાય છે. પણ બીમાર વ્યક્તિ અને વૃદ્ધો માટે સૂપથી સારી દવા કોઈ નથી. સૂપને ચાવવું નથી પડતું અને તે સરળતાથી ડાઈજેસ્ટ પણ થઈ જાય છે. જેથી બોડીમાં માટે જરૂરી તમામ પોષક તત્વો પણ સૂપમાંથી મળી રહે છે. આ સિવાય શાકભાજી અને દાળ ન ખાઈ શકતાં બાળકો માટે સૂપ એક આદર્શ અને પૌષ્ટિક પેય છે. જે શિયાળામાં 5 વર્ષની નાના બાળકોને રોજ 50 મિલી. આપવું જોઈએ. આ સિવાય રોજ 1 વાટકી સૂપ બધાં પી શકે છે.
ક્યારે સૂપ પીવું?
ડાયટ એક્સર્ટ મુજબ સૂપ ખાલી પેટ પીવાથી તેના ગુણો જલ્દી બોડીમાં એબ્લોર્બ થઈ જાય છે. જેથી સૂપ ભોજન કર્યાં પહેલાં પીવું જોઈએ. સૂપ પીવાનો સૌથી સારો સમય છે સાંજે 6થી 7ની વચ્ચેનો, કારણ કે આ સમયે સૂપ પીવાથી ડિનરમાં વધુ ભૂખ લાગતી નથી અને સૂપ અને ડિનરની વચ્ચે એકથી દોઢ કલાકનો ગેપ પણ મળી જાય છે. તેનાથી બોડીમાં તેના પોષક તત્વો એબ્સોર્બ થાય છે અને વજન કંટ્રોલમાં રાખવામાં પણ મદદ મળે છે. સાથે જ ડિનરમાં ઓવરઈટિંગ થતું નથી. શિયાળામાં સાંજે બોડીને ગરમાવો આપવામાં પણ તે મદદ કરે છે.