વડોદરામાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. ત્યારે NDRF અને વાયુસેના દ્વારા સમગ્ર શહેરનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યુ. લોકોની મદદ માટે NDRFની ટીમો અને વાયુસેનાએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી છે. જવાનો બોટ અને લાઈફ બોટ સાથેના સાધનોની સુવિધા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે. હાલ શહેરનાં તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. શાળા, કોલેજો અને કોર્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શહેરની સ્થિતિ કફોડી બનતા જનજીવન પ્રભાવિત થયુ.