ભાજપના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા રહી ચૂકેલા જસવંત સિંહના દીકરા માનવેન્દ્ર સિંહે એક મોટું એલાન કર્યું. તેઓએ બાડમેરમાં એક સ્વાભિમાન રેલી યોજી. રેલીમાં તેઓએ મોટુ એલાન કરતા કહ્યું કે હમારી એક હી ભૂલ કમલ કા ફૂલ.....આ જોતા જ લાગે છે કે માનવેન્દ્ર સિંહનો રસ્તો હવે ભાજપથી અલગ થયો છે.
ઉલ્લેખનીય છે કે માનવેન્દ્ર સિંહ રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજેથી નારાજ છે. જ્યારથી તેમના પિતા જસવંત સિંહની ટિકીટ બાડમેર લોકસભામાંથી કાપવામાં આવી છે ત્યારથી તેઓ નારાજ છે. પંરતુ ચૂંટણી પહેલા આ રીતે રેલી યોજીને જે તેમણે જાહેરાત કરી છે તેનાથી બાડમેરમાં ભાજપ માટે મોટું સંકટ ઉભું થઈ શકે છે.
તો આ રેલી દરમિયાન માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહે કહ્યું કે આ રેલી દ્વારા વસુંધરા રાજે સુધી અવાજ પહોંચાડવાનો છે કે તેઓ માત્ર હવે બે મહિના માટે જ મુખ્યમંત્રી છે. વસુંધરા રાજેને આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તામાંથી ઉખાડી ફેંકીશું.