કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ગાંધીજીની 150મી જન્મ જ્યંતી નિમિતે 7 દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે આ યાત્રા વાળુકડ ગામે વિરામ લેશે. ગાંધી વિચાર અને આદર્શો તેમજ જીવન મૂલ્યોને આધારિત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો આવકાર મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં યાત્રા પહોંચે છે ત્યાં ગાંધીજીના મહાવ્રતોને આધારિત સભાઓના પણ આયોજન કરવામાં આવે છે. જેમાં નામાંકિત વક્તાઓ પણ હાજરી આપી રહ્યાં છે.
આજે છઠ્ઠા દિવસે યાત્રા બપોરે પાલીતાણાના વાળુકડ ગામે વિરામ લેશે. આવતીકાલે સવારે ભાવનગરના સણોસરા ખાતે આવેલી લોકભારતી સંસ્થામાં સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજરી આપશે. આજે આ યાત્રા રણપારડા ગામે થઈને બપોરે વિરામ લેવાની છે.
150 કિલોમીટરની આ પદયાત્રામાં કુલ 150 પદયાત્રીઓ ઉપરાંત સમયાંતરે ઉદ્યોગપતિઓ ટીવીએક્ટર્સ રાજકીય આગેવાનો તેમજ ગાંધી મૂલ્યોને માનનારા લોકો અને ગ્રામ્ય પ્રજા મોટી સંખ્યામાં જોડાય રહ્યા છે. આ યાત્રાને ગામે ગામ સારો એવો આવકાર મળી રહ્યો છે. આ યાત્રાના માર્ગમાં આવતા ગામોમાં લોકો મનસુખ માંડવીયા તેમજ પદયાત્રીઓનું ઉષામાંભેર સ્વાગત કરી રહ્યાં છે. કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ આગેવાનો પણ યાત્રામાં જોડાઈ રહ્યા છે.