શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મીના ઘણા રૂપોમાં એક રૂપ છે ગૃહ લક્ષ્મીનું. આ રૂપમાં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે. જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન અને ખુશ રહે છે એ ઘરમાં લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે. અને એના માટે તમારે વધારે કઇ કરવાનું નથી બસ પત્નીને સમય સમયે આપવી જોઇએ.
પુરાણોમાં જણાવવામાં આવ્યું છે જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન રહે છે એ ઘરમાં દેવી લક્ષ્મી સદૈવ ધન ધાન્ય બનાવી રાખે છે અને એમનું મન દુખી રહે છે ત્યાં ધનની પરેશાનીઓ આવે છે. એટલા માટે બુઝવારે અથવા શુક્રવારના દિવસે ગૃહલક્ષ્મીને વસ્ત્ર આપવા જોઇએ.
શાસ્ત્રોમાં કહેવાય છે કે આભૂષમ વગર દેવીની પૂજા સંપન્ન થતી નથી એટલે દેવીની પૂજામાં આભૂષણ જરૂરથી ચઢાવવામાં આવે છે. આભૂષણ ગૃહલક્ષ્મીને ખૂબ પસંદ આવે છે. એટલા માટે સમય સમય પર નાના મોટા આભૂષણ ભેટમાં આપવા જોઇએ.
સુહાગ સામગ્રી જેમે કે સિંદૂર ચાંદલો બંગડી ઉપહારમાં આપવાથી સૌભાગ્ય વધે છે. એનાથી દેવી વધારે પ્રસન્ન થાય છે. એટલા માટે સમય સમય પર એમને ભેટ સ્વરૂપે આપવું જોઇએ.
ગૃહલક્ષ્મીની પ્રસન્નતા માટે આ ઉપહારો ઉપરાંત એક ખાસ ઉપહાર છે જેમાં કોઇ પૈસા ખર્ચ કરવા પડશે નહીં એ જરૂરથી આપો. આ ઉપહાર છે સમ્માન અને મીઠી વાણી.