ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી માનુષી છિલ્લરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી.
અભિનેત્રી બનવા ન હતી માંગતી માનુષી
આ રીતે કર્યું ફિલ્મોમાં ડેબ્યુ
જણાવી પોતાની સ્ટોરી
તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી હિન્દી સિનેમા જગતમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી અને મોડલ માનુષી છિલ્લરને કોઈ અલગ ઓળખની જરૂર નથી. માનુષીએ ફિલ્મ પૃથ્વીરાજથી આ સાબિત કરી બતાવ્યું છે. માત્ર એક મોડલ જ નહીં પરંતુ એક્ટિંગમાં પણ તે કોઈનાથી કમ નથી. હવે માનુષી છિલ્લરે ખુલાસો કર્યો છે કે તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી.
અભિનેત્રી બનવું મારી પ્રથમ પસંદગી ન હતી
હકીકતે માનુષી છિલ્લરે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના પ્રમોશન દરમિયાન એક મીડિયા ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં જ્યારે માનુષી છિલ્લરને આ સવાલ પૂછવામાં આવ્યો કે શું તમે શરૂઆતથી જ અભિનેત્રી બનવા ઈચ્છતા હતા. તો આનો જવાબ આપતાં માનુષી છિલ્લરે કહ્યું છે કે એવું બિલકુલ ન હતું, હું ક્યારેય ફિલ્મોમાં કામ કરવા માંગતી ન હતી.
મોડલિંગ પર ધ્યાન આપવા માંગતી હતી
હું મારી મોડેલિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. જે મેં કર્યું. વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પણ મેં અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું. પરંતુ તે પછી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ અને મને લાગ્યું કે મારે અભિનેત્રી બનવું જોઈએ. અને પછી યશ રાજ બેનર હેઠળ બનેલી કોઈ ફિલ્મ હોય, જેમાં સુપરસ્ટાર અક્ષય કુમાર હોય તો તેને કોણ નકારી શકે.
સમ્રાટ પૃથ્વીરાજમાં માનુષી છિલ્લરે જીત્યુ દિલ
અભિનેત્રી તરીકે પહેલીવાર મોટા પડદા પર પગ મૂકનાર માનુષી છિલ્લરે પોતાની ફિલ્મમાં જણાવ્યું કે અભિનયની બાબતમાં તે ખૂબ જ એક્ટિવ છે. અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષી છિલ્લર દ્વારા સંયોગિતાનું પાત્ર ભજવવામાં આવ્યું છે. જે ફેન્સને ખૂબ જ પસંદ આવ્યું છે. આટલું જ નહીં અક્ષય કુમારે પણ આ વાતનો ખુલાસો કર્યો છે. કે માનુષી છિલ્લર એક્ટ્રેસની રીતે ખૂબ જ એક્ટિવ અને મેનર્સ વાળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માનુષી છિલ્લર ટૂંક સમયમાં યશરાજ બેનરની અન્ય ફિલ્મોમાં પણ જોવા મળશે.