દિલ્હીની બહુ ચર્ચિત જેસિકા લાલ હત્યા કેસના આરોપી મનુ શર્માને જેલમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મનુ શર્માને છોડી મુકવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે, મનુ શર્મા જેસિકા લાલ મર્ડર કેસમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યો છે. મનુ શર્માને 1999માં મોડેલ જેસિકા લાલની હત્યાના આરોપમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે.
જૈસિકા લાલ હત્યાકાંડ કેસમાં દોષિત જેલમુક્ત
ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કર્યા આદેશ
ઉલ્લેખનીય છે કે, બહુ ચર્ચિત જેસિકા લાલ હત્યા કેસમાં આરોપી મનુ શર્માને સમય પહેલા જેલમાંથી પરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મનુ શર્મા સહિત 18 કેદીયોને સમય પહેલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા છે.
ઉપરાજ્યપાલે આપી મંજૂરી
મહત્વનું છે કે તિહાડ જેલમાં બંધ કેદીયોને સમય પહેલા જેલમાંથી મુક્ત કરવા માટે સોમવારે સેન્ટેન્સ રિવ્યૂ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં 37 આરોપીના કેસની ફાઇલ રજૂ કરવામાં આવી હતી. જેમાંથી 22 આરોપીઓને સમય પહેલા જેલમાંથી મુક્ત કરવા માટે સમજૂતિ થઇ હતી અને અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ પર છોડાયો હતો. આજે ઉપરાજ્યપાલે આરોપીઓને જેલમાંથી મુક્ત કરવા મંજૂરી આપી દીધી છે.
શું હતો સમગ્ર મામલો
20 એપ્રિલ 1999માં દિલ્હીના એક બારમાં જેસિકાની હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસના તત્કાલીન પ્રભાવશાળી નેતા વિનોદ શર્માના દિકરા મનુ શર્માએ જેસિકાને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી. જેથી ડિસેમ્બર 2006માં દિલ્હી હાઇકોર્ટે મનુ શર્માને દોષી ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી...