હિંદુ ધર્મમાં સૂર્યદેવનું મહત્વ અનેકગણું જોવા મળે છે. સૂર્ય દેવના કોઈ પણ મંત્રના જાપ વ્યક્તિએ પોતાની સુવિધા અનુસાર કરવા. તેનાથી સફળતા મળે છે. સૂર્ય યશનો કારક હોય છે અને માન સમ્માનમાં વધારો કરે છે.
સૂર્ય દેવના વિવિધ મંત્રોના કરો જાપ
મળશે અપાર સફળતા, શાંતિ અને યશ
જાણો કયા કામ માટે કરશો કયા મંત્રનો જાપ
હિંદુ ધર્મમાં ભગવાન સૂર્યદેવને એક માત્ર દેવ માનવામાં આવે છે જે સાક્ષાત જોવા મળે છે. તેમની વિધિ વિધાનથી પૂજા કરવાથી તમને સફળતા મળી શકે છે અને સાથે જ માનસિક શાંતિ અને શક્તિનો સંચાર થાય છે. સૂર્યદેવની પૂજામાં ગાયત્રી મંત્ર સિવાય પણ અનેક મંત્રોનો ઉપયોગ કરાય છે. હિંદુ ધર્મમાં જાપની કોઈ ગણતરી હોતી નથી. સૂર્યદેવના કોઈપણ મંત્રોનો જાપ વ્યક્તિએ પોતાની સુવિધા અનુસાર કરવો અને તેનું ફળ તમને અવશ્ય મળે છે.
સૂર્યથી થાય છે આ લાભ
સૂર્ય યશનો કારક હોય છે. માન સમ્માનમાં વૃદ્ધિ કરાવે છે. જો કુંડળીમાં સૂર્ય શુભ થઈને નબળો રહે છે તો તેનાથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. મંત્ર જાપની સંખ્યા 7000 હોવી જોઈએ. શુક્લ પક્ષના રવિવારથી મંત્ર જાપનો આરંભ કરવો. પોતાની સુવિધા અનુસાર વ્યક્તિએ આ જાપને નક્કી સમયમાં પૂરા કરવાનું પ્રણ લેવું.