વેક્સિન મિસમેનેજમેન્ટ મુદ્દે માંડવિયાએ રાજ્યો પર ઢોળ્યો દોષ
રાજ્ય સરકારોને પહેલાથી વેક્સિન ડોઝ ફાળવણી અંગે માહિતી અપાય છે
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને જણાવ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોને જૂન મહિનામાં 11.46 કરોડ વેક્સિન ડોઝ તથા જૂલાઇ મહિનામાં 13.50 કરોડ ડોઝ ફાળવાયા છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યને વેક્સિનના કેટલા ડોઝ આપવામાં આવશે તે વાત કેન્દ્ર સરકારે 19 જુનના દિવસે તમામ રાજ્યોને જણાવી દીધી હતી. ત્યાર બાદ 27 જુન અને 13 જુલાઈએ કેન્દ્ર વતી રાજ્યોને જુલાઈના પહેલા અને બીજા અઠવાડિયામાં તેમને કેટલી વેક્સિન આપવામાં આવશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી.
वैक्सीन की उपलब्धता के संदर्भ में मुझे विभिन्न राज्य सरकारों और नेताओं के बयान एवं पत्रों से जानकारी मिली है। तथ्यों के वास्तविक विश्लेषण से इस स्थिति को बेहतर ढंग से समझा जा सकता है। निरर्थक बयान सिर्फ लोगों में घबराहट पैदा करने के लिए किए जा रहे हैं। (1/6)
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 14, 2021
લોકોમાં ફક્ત ગભરાટ પેદા કરવા માટે નિરર્થક નિવેદનો આપવામાં આવી રહ્યાં છે- માંડવીયા
બીજા ટ્વિટરમાં માંડવીયાએ કહ્યું કે વેક્સિનની ઉપલબ્ધતાના સંદર્ભમાં મને રાજ્ય સરકારો અને નેતાઓના નિવેદનો અને પત્રો દ્વારા જાણકારી મળી છે. તથ્યોના વાસ્તવિક વિશ્લેષણથી આ સ્થિતિને સારી રીતે સમજી શકાય છે. લોકોમાં ફક્ત ગભરાટ પેદા કરવા માટે નિરર્થક નિવેદનો આપવામાં આવી રહ્યાં છે.
जुलाई में राज्यों में वैक्सीन के कितने डोज उपलब्ध कराई जाएगी, इसकी जानकारी केंद्र सरकार ने राज्यों को 19 जून, 2021 को ही दे दी थी। इसके बाद 27 जून व 13 जुलाई को केंद्र की ओर से राज्यों को जुलाई के पहले व दूसरे पखवाड़े के लिए उन्हें हर दिन की वैक्सीन उपलब्धता की जानकारी..(3/6)
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 14, 2021
માંડવીયાએ એવું પણ કહ્યું કે મીડિયા સમક્ષ ખોટા નિવેદન આપતા લોકોએ આત્મ નિરીક્ષણ કરવું જોઇએ.
सरकारी और निजी अस्पतालों के जरिए टीकाकरण हो सके, इसलिए जून महीने में 11.46 करोड़ वैक्सीन की डोज राज्य सरकारों और केंद्र शासित प्रदेशों को उपलब्ध कराए गए और जुलाई के महीने में इस उपलब्धता को बढ़ाकर 13.50 करोड़ किया गया है। (2/6)
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 14, 2021
વેક્સિન મિસમેનેજમેન્ટ મુદ્દે માંડવિયાએ રાજ્યો પર ઢોળ્યો દોષ
વેક્સિનેશન અભિયાનના ગેરવહિવટનો દોષનો ટોપલો આડકતરી રીતે રાજ્યો પર ઢોળતા માંડવીયાએ જણાવ્યું કે સમસ્યા શું છે અને તેને માટે કોણ જવાબદાર છે તે સ્પસ્ટ બન્યું છે, અને તે પણ એવા સંજોગોમાં કે જ્યારે કેન્દ્ર સરકારે પહેલેથી જ રાજ્યોને વેક્સિનની ઉપલબ્ધતાની જાણ કરી હતી.