કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે રાજકોટ ખાતે યોજાયેલા આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની ત્રીજી લહેર હવે સમી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં હાલ 96 ટકા નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું કે, બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં ઓછા લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી છે.
ત્રીજી લહેરમાં દવાઓની ખપત 4 ગણી વધી: માંડવિયા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં દવાઓની ખપત 4 ગણી છે. તેમણે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં દવાઓમાં ખપત 3 ઘણી વધી હતી. આમ હાલ બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં ઓછો લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, દેશમાં હાલ દર મહિને 50 લાખ વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
પાંચથી 15 વર્ષની વયના માટે રસીકરણ અંગે સ્પસ્ટતા
આ સાથે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ જલ્દીમાં જલ્દી 15 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરશે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પુછાયું કે, 15 વર્ષ સુધીના બાળકોને વેકસીન અંગે સરકારનું શું વલણ છે. તેમણે કહ્યું કે, તજગ્નોની ટીમે હજુ આ ઉમર માટેના બાળકોના રસીકરણ અંગે હજુ સુધી કોઈ ભલામણ કરી નથી.