માંડવિયાએ મીડિયાને જણાવ્યું કે, 'મોદીજી અને અમિત શાહજીએ મારી પર ફરી એક વાર વિશ્વાસ મૂક્યો છે અને મને આ નવી સરકારનાં ભાગીદાર બનવા બોલાવ્યો છે. હું તે બંનેનો દિલથી આભાર માનું છું.'
નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વવાળી નવી સરકારમાં બીજેપી નેતા મનસુખ માંડવિયા બીજી વાર મંત્રી બનશે. ગુરૂવારનાં આજનાં રોજ સાંજનાં 7 કલાકે મોદી સહિત એનડીએનાં બાકીનાં મંત્રીઓનાં પદ અને ગોપનીયતાની શપથ ગ્રહણ કરશે. બપોરનાં રોજ તેઓએ આ વિશે મીડિયા સાથે વાત કરી અને જણાવ્યું કે્, તેઓ સમારોહમાં કોઇ ગાડી અથવા તો કોઇ અન્ય વાહન દ્વારા નહીં જાય. પરંતુ તેઓ સાઇકલથી રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. પત્રકારોએ આની પાછળનું કારણ પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, આ ફેશન નથી, તેમનું પેશન છે.
માંડવિયાએ મીડિયાને જણાવ્યું કે, 'મોદીજી અને અમિત શાહજીએ મારી પર ફરી એક વાર વિશ્વાસ મૂક્યો છે અને મને આ નવી સરકારનાં ભાગીદાર બનવા બોલાવ્યો છે. હું તે બંનેનો દિલથી આભાર માનું છું.'
એવું જ્યારે પૂછવામાં આવ્યું કે, આપ સમારોહમાં શું સાઇકલ લઇને જશો? તો જવાબ મળ્યો કે, મારા માટે સાઇકલ પર જવું એ ફેશન નથી પરંતુ આ તો મારું પેશન છે. હું સંસદ ભવન હંમેશા સાઇકલ લઇને જ જઉં છું. આ ઇકો-ફ્રેન્ડલી છે અને ઇંઘણની પણ બચત કરે છે. આ સાથે સાથે લોકોને શારીરિક રીતે ચુસ્ત-તંદુરસ્ત પણ રાખે છે.'
તમને જણાવી દઇએ કે માંડવિયા મોદી સરકારનાં ગઇ વખતનાં કાર્યકાળમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળતા હતાં. આ પહેલાં પણ તેઓ સંસદ ભવન સાઇકલ લઇને પહોંચ્યા હતાં. ત્યારે આ વખતે ફરી વાર તેઓ સાઇકલ લઇને સંસદ ભવન જવાના છે.