ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર 14 મહિનામાં હાંસલ કરી
'સબકા પ્રયાસ'નું સાર્થક ઉદાહરણ : મનસુખ માંડવિયા
ભારતમાં રસીકરણ અભિયાનનો આંકડો 181.56 કરોડ ડોઝને વટાવી ગયો છે. ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર 14 મહિનામાં હાંસલ કરી છે. વિશ્વના કોઈ પણ દેશમાં આટલી ઝડપથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં નથી આવ્યું. આ સિદ્ધિ પર દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરેકના પ્રયાસોની શક્તિનું સાર્થક પરિણામ છે કે, આપણે આ સફળતા મેળવી શક્યાં. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લોકોની ભાગીદારીની ભાવનાથી પ્રેરિત ભારતની રસીકરણ યાત્રા અસાધારણ રહી અને તે 'સબકા પ્રયાસ'નું સાર્થક ઉદાહરણ છે.
India is leading the world in #COVID19 vaccinations!
The world's largest & most successful vaccination drive has shown the power of #NewIndia and it continues to drive 🇮🇳 ahead of many developed countries in the fight against the pandemic.#COVIDLessonsFromIndiapic.twitter.com/l0mXv8fCG4
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 22, 2022
25 કરોડ રસીકરણ માટે 145 દિવસનો સમય
મનસુખ માંડવિયાએ એક ચાર્ટ રજૂ કરતાં જણાવ્યું કે, કેવી રીતે ભારતે જનભાગીદારી સાથે આટલું વિશાળ રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં 16 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થયું હતું. ભારતને 25 કરોડ કોવિડ 19 રસીના ડોઝ સુધી પહોંચવામાં 145 દિવસ લાગ્યાં પરંતુ ત્યાર બાદ તેણે જે ગતિ પકડી તે તો અટકવાનું નામ નથી લઇ રહી. 9 જૂન 2021 સુધીમાં ભારતમાં 25 કરોડ ડોઝ આપવામાં આવ્યાં હતાં. બીજી તરફ, 4 ઓગસ્ટ 2021 સુધી ભારતમાં કુલ 25 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતાં. એટલે કે, જ્યાં ભારતને 25 કરોડ સુધી પહોંચવામાં 145 દિવસ લાગ્યાં ત્યાં 25થી 50 કરોડ સુધી પહોંચવામાં માત્ર 56 દિવસ લાગ્યાં.
માત્ર 34 દિવસમાં 50થી 75 કરોડ ડોઝ
શરૂઆતમાં, દરેકની માટે રસી ન હતી પરંતુ ત્યાર બાદ 21 જૂન, 2021 નાં રોજ COVID-19 રસીકરણ અભિયાનનો નવો તબક્કો શરૂ થયો. જેમાં બધાની માટે વેક્સિનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી. ભારતે 7 સપ્ટેમ્બર, 2021 નાં રોજ રસીકરણના 75 કરોડ ડોઝને પાર કર્યો અને 21 ઓક્ટોબર, 2021 નાં રોજ 100 કરોડ રસીકરણની મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. એટલે કે 50 થી 75 કરોડ સુધી પહોંચવામાં માત્ર 34 દિવસ અને 75 થી 100 કરોડના ઐતિહાસિક લક્ષ્યાંક સુધી પહોંચવામાં 44 દિવસનો સમય લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં 181.56 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. એ જ રીતે 2 ડિસેમ્બર, 2021 સુધીમાં ભારતે 1.25 કરોડ વેક્સિનના ડોઝ લગાવવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે અને આ 25 કરોડમાં ભારતને 42 દિવસનો સમય લાગ્યો.