કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયજૂથના બે કરોડ કિશોરોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
દેશભરમાં રસીકરણ યુદ્ધના ધોરણે યથાવત
15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોની રસીકરણ માટેની નોંધણી પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. પ્રારંભિક તબક્કામાં, આ વય જૂથના 12 લાખથી વધુ કિશોરોએ રસીકરણ માટે નોંધણી કરાવી હતી. કોવિન પોર્ટલ પર રસીકરણ માટેની નોંધણી હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત આ વયજૂથના લોકો પણ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને સીધું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમને પણ તાત્કાલિક રસીકરણ કરવામાં આવશે. આ સિવાય બૂસ્ટર ડોઝ પણ ગયા મહિને શરૂ કરવામાં આવ્યો હતો. કોરોનાના ત્રીજા મોજા દરમિયાન રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાત અનુભવાઈ હતી. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.