કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એવું જણાવ્યું છે કે દેશમાં હાલમાં ખાતરની કોઈ અછત નથી અને ટૂંક સમયમાં દેશમાં ખાતર મામલે આત્મનિર્ભર બની જશે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન
દેશમાં યુરીયા, ડીએપી કે બીજા કોઈ ખાતરની અછત નથી
2025 સુધી દેશ ખાતર મામલે થઈ જશે આત્મનિર્ભર
દેશમાં હાલમાં ખાતરની તંગી હોવાનો ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ ઈન્કાર કર્યો છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં હાલમાં ખાતરની કોઈ અછત નથી અને 2025 માં દેશ ખાતર મામલે આત્મનિર્ભર બની જશે અને તે વખતે યુરિયા મામલે દેશ આત્મનિર્ભર બની જશે. તેમણે કહ્યું કે દેશમાં વર્ષ 3.25-3.50 લાખ મેટ્રિક ટન યુરીયા ખાતરનો ઉપયોગ થાય છે અને ખરીફ સિઝનમાં 1.80 લાખ મેટ્રિક ટન યુરીયાનો ઉપયોગ થવાની આશા છે.
Mansukh Mandaviya says no shortage of fertilizers in India, country to become self-reliant soon
દેશમાં યુરિયા, ડીએપી અને અન્ય ખાતરોની કોઈ અછત નથી-માંડવિયા
ખરીફ સિઝન માટે 1.50 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન થશે. બાકીના 30 લાખ મેટ્રિક ટન યુરિયાની વ્યવસ્થા વિવિધ દેશોમાંથી થઈ ચૂકી છે. હું ખેડૂતોને કહેવા માંગુ છું કે ખાતરોની અભૂતપૂર્વ વૈશ્વિક અછત હોવા છતાં ભારતમાં યુરિયા, ડીએપી અને અન્ય ખાતરોની કોઈ અછત નથી," કેન્દ્રીય મંત્રીએ કહ્યું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનો સીધો ફાયદો દેશમાં 20 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ ઘટશે. રાસાયણિક અને ખાતર મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે માંડવિયાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ખાતર ક્ષેત્રમાં સહકાર વધારવા માટે 13-15 મે દરમિયાન જોર્ડનની મુલાકાત લીધી હતી.
કેન્દ્ર સરકારે ખાતર સબસિડી 512 રુપિયાથી વધારીને 2500 રપિયા કરી છે. આ રીતે એક વર્ષમાં સરકારે ખાતર સબિસીડીમાં 2000 રુપિયાનો વધારો કર્યો છે. ખેડૂતોને જુના ભાવે ખાતર મળતું રહેશે અને તેમણે એક ડીએપીની એક થેલી દીઠ 1350 ચુકવવા પડશે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબ્સિડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવાનું રાજકીય રિસ્ક લેવા માગતી નથી.