અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા પ્રભુત્વ જમાવ્યાં બાદ ત્યાંથી સ્થાનિકો બહાર નિકળવાના પ્રયાસ કરી રહ્યાં છે. જેમાંથી અમેરિકા, કેનેડા અને ભારત પોતાના લોકોને અફઘાનિસ્તાનમાંથી વિમાનો દ્વારા પાછા લાવી રહ્યાં છે.
અફઘાનિસ્તાનમાંથી પાછા આવતા લોકોને લગાવાઈ પોલિયો વેક્સિન
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી માહિતી
વાઈલ્ડ પોલિયો વાયરસથી બચાવવા ઉપાડવામાં આવ્યું પગલું
અફઘાનિસ્તાનમાંથી પરત આવતા લોકોને અપાઈ પોલિયોની વેક્સિન
અફઘાનિસ્તાનમાંથી ભારત આવી રહેલા લોકોને દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોલિયોની વેક્સિન લગાવવામાં આવી રહી છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાતે ટ્વિટ કરી આપી છે. મનસુખ માંડવિયાએ ટ્વિટર પર માહિતી આપી છે કે અફઘાનિસ્તાનમાંથી પરત આવી રહેલા લોકોને વાઈલ્ડ પોલિયો વાયરસથી બચાવવા માટે ઉપાડવામાં આવેલા સુરક્ષાત્મક પગલાના રૂપમાં પોલિયો વેક્સિન-ઓપીવી અને એફઆઈપીવી લગાવવામાં આવી રહી છે.
અફઘાનિસ્તાનમાંથી પરત આવેલા લોકોમાંથી 107 ભારતીય નાગરિકો
જ્યારે અફઘાનિસ્તાનમાંથી જે લોકો ભારતના ગાજિયાબાદ સ્થિત હિન્ડન એરફોર્સ સ્ટેશન પર વિમાન દ્વારા લાવવામાં આવી રહ્યાં છે. તેમને કોરોના વાયરસ સંક્રમણની ઓળખ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. જેના માટે હિન્ડન એરફોર્સ સ્ટેશન પર લોકોએ ખૂબ રાહ જોવી પડે છે. માહિતી આપવામાં આવી છે કે ભારતીય વાયુસેનાના સી-17 વિમાન દ્વારા અફઘાનિસ્તાનમાંથી 168 લોકોને લાવવામાં આવ્યાં છે. જેમાંથી 107 ભારતીય નાગરિક છે.
લગભગ 300 ભારતીયોને સ્વદેશ લાવી શકાય છે
બીજી તરફ કાબુલમાં ખરાબ થયેલી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાંથી લોકોને કાઢવા માટે ભારતના અભિયાન હેઠળ અફઘાનિસ્તાનમાંથી રવિવારે લગભગ 300 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવી શકાય છે. ભારતીય વાયુસેનાના અગાઉના એક સૈન્ય પરિવહન વિમાનમાં 87 ભારતીયોને શનિવારે કાબુલમાંથી તજાકિસ્તાનની રાજધાની દુશામ્બે લઈ જવાયા અને આ સમુહને રવિવારે મધ્ય એશિયાના શહેરમાંથી એર ઈન્ડિયાના એક વિશેષ વિમાન દ્વારા દિલ્હી પાછા લાવવામાં આવશે.