કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ વિશ્વ સ્વાસ્થ્ય સભાના 75માં સત્રને WHO મુખ્યાલય, જિનેવામાં સંબોધન કર્યું હતું.
મનસુખ માંડવિયાએ જિનેવામાં સંબોધન કર્યું
કોરોનાથી મોતના આંકડાવાળા રિપોર્ટથી નિરાશા
ભારતે આ આંકડાઓનો કર્યો અસ્વિકાર્ય
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ વિશ્વ સ્વાસ્થ્ય સભાના 75માં સત્રને WHO મુખ્યાલય, જિનેવામાં સંબોધન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, જેમ કે, ભારતના પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું છે કે, રસી અને દવાઓનો સામાન પહોંચાડવા માટે ઢીલાશવાળી સપ્લાઈ ચેન બનાવાની જરૂર છે. રસી અને તબીબી વિજ્ઞાન માટે WHOની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને વધારે ઢીલાશવાળી વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા વાસ્તુકલા બનાવવા માટે WHOને મજબૂત કરવાની જરૂર છે.
કોરોનાના રિપોર્ટ પર નિરાશા વ્યક્ત કરી
આ દરમિયાન તેમણે WHOના ભારતમાં કોરોનાથી મોતના રિપોર્ટનો મુદ્દો ઉઠાવતા નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત તમામ કારણોથી વધારો મૃત્યુ દર પર WHOના હાલના નિવેદન પર નિરાશા અને ચિંતા વ્યક્ત કરે છે. જ્યાં ભારતે વૈધાનિક પ્રાધિકરણ દ્વારા પ્રકાશિત દેસ વિશિષ્ટ પ્રમાણિક ડેટાની અવહેલના કરવામાં આવી હતી. ભારત અને અન્ય દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને નજરઅંદાજ કરે છે. જેવી રીતે WHO દ્વારા સર્વ કારણ અધિક મૃત્યુ દર પર રિપોર્ટ તૈયાર કરો અને પ્રકાશિત કર્યો, તેના પર ભારતે નિરાશા વ્યક્ત કરી છે.
India would like to express its disappointment over the manner in which the report by WHO on all-cause excess mortality was prepared and published ignoring the concerns expressed by 🇮🇳 & other countries over the methodology and sources of data. #WHA75pic.twitter.com/2oODHWVlpm
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 23, 2022
શું બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી
મનસુખ માંડવિયાએ કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ, એક સંવૈધાનિક નિકાસ જેમાં ભારતે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓના પ્રતિનિધિત્વ છે. એક સર્વસંમત પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં મને આ સંબંધમાં સામૂહિક નારાજગી અને ચિંકા વ્યક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતનું માનવું છે કે, શાંતિ અને સ્વાસ્થ્યને જોડનારા આ વર્ષથી થીમ સામયિક અને પ્રાંસગિક છે, કારણ કે શાંતિ વિના કોઈ સતત વિકાસ અને સાર્વભૌમિક સ્વાસ્થ્ય અને ભલાઈ થઈ શકે નહીં.
શું હતો WHOનો રિપોર્ટ
આપને જણાવી દઈએ કે, WHOએ હાલમાં જ પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ભારતમાં 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2021ની વચ્ચે કોવિડ 19થી 47 લાખ મોત થયા છે. જ્યારે ભારત સરકારના આંકડા અનુસાર, આ દરમિયાન દેશમાં કોરોના વાયરસથઈ 5,20,000 મોત થયા છે. ભારત સરકારે WHOના આંકડાનું ખંડન કર્યું છે અને તેને ફગાવી દીધા છે.