નિવેદન / મનસુખ માંડવીયાએ દિલ્હીમાં ભાજપ 45 બેઠકો સાથે વિજેતા થવાનો કર્યો દાવો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ VTV સાથે દિલ્લી ચૂંટણી અને શાહીન બાગ સહિતના મુદ્દાઓને લઇ વાતચીત કરી હતી. મનસુખ માડવીયાએ દિલ્લીમાં ભાજપ 45 બેઠકો સાથે વિજેતા થશે તેવો દાવો પણ કર્યો છે. મનસુખ માંડવીયાએ કહ્યું કે AAP દ્વારા મતોનું ધ્રુવીકરણ કરવા શાહીન બાગનો ઉપયોગ કરાયો છે. દિલ્લીની જનતા સાથે AAPએ છળ કર્યું છે. શાહીન બાગ ભાજપ માટે રાજકીય મુદ્દો નથી. અને શાહીન બાગમાં ગોળીબાર કરનાર યુવક AAP સાથે સંકળાયેલો છે.

બ્રેકિંગ ન્યૂઝ