ATSએ આ કેસમાં 3 આરોપી બનાવ્યા છે. જેમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાજે ઉપરાંત બુકી નરેશ અને સસ્પેન્ડેડ પોલીસકર્મી વિનાયક શિંદેનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહારથી વિસ્ફોટક ભરેલી કાર મળવા અને કારના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે તપાસ ચાલી રહી છે.
આ હત્યાકાંડમાં પોલીસને 3 મોબાઈલ મળ્યા છે. ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલા વોડાફોનના 8 સિમ કાર્ડ મળ્યા છે. મહારાષ્ટ્ર ATSએ વિનાયક શિંદેના ઘરે પણ તપાસ કરી છે. જ્યાંથી ATSએ પ્રિન્ટર અને કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે.
DIG શિવદીપ લાંડેએ કહ્યું- કેસ ઉકેલાઇ ગયો
હવે આ મામલે DIGએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે સંવેદનશીલ મનસુખ હિરેન કેસ ઉકેલી લેવાયો છે. બીજી તરફ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખે વાજેને 100 કરોડની વસૂલાત કરવા માટે કહ્યું હતું.