મહેસાણા જિલ્લાની જાણીતી દૂધસાગર ડેરીના યુવાન ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું મ્યુકોર્માકોસિસની બીમારીના કારણે થયું નિધન
દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન
કોરોના બાદ મ્યુકોર્માઈકોસિસના કારણે થયું નિધન
યુવાન ડિરેક્ટર માનસિંગનું 40 વર્ષની ઉંમરે થઈ મોત
દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન થયું છે. મ્યુકોર્માઈકોસિસની બીમારીના કારણે નિધન થયું છે. કોરોનાની સામે 21 દિવસ સુધી સારવાર પણ લીધી હતી. પરંતુ પછી મ્યુકોર્માઈકોસિસની બીમારી લાગી હતી. જેની પણ 10 દિવસથી સારવાર ચાલી રહી હતી. અંતે જિંદગીની જંગ તેઓ હારી ગયા હતા. દૂધસાગર ડેરીના યુવાન ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું 40 વર્ષની ઉંમરે નિધન થયું છે.
જવલ્લે જ જોવા મળતો મ્યુકોર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.