મોસાળ સરસપુરમાં ભગવાનને કેરીનો મનોરથ ધરવામાં આવ્યો છે. સરસપુર રણછોડજી મંદિર ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને કેરીનો મનોરથ હોવાથી 151 કિલો કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે. પ્રથમ વખત મોસાળમાં અનેરું આયોજન કરવામાં આવ્યું છે. કેરીનો મનોરથ દર્શન અર્થે થોડીવારમાં ખુલ્લો મુકવામાં આવશે. તેમજ હાલની માન્યતા મુજબ ભગવાન પોતાના મોસાળમાં બિરાજ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભજન-કીર્તન સાથે ભગવાનના મનોરથ દર્શન માટે પહોંચયા છે.