બોલીવૂડ સ્ટાર મનોજ વાજપેયીએ કશ્મીરના કાયલ બન્યા છે. તેઓએ કશ્મીરની મહેમાન નવાજી અને કશ્મીરની સુંદરતાના ખુબ વખાણ કર્યા. તેઓ કશ્મીર પહોંચ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે હું પોતાની જાતને પણ સુરક્ષિત
અનુભવું છું.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે અહીં રહેવા માટે પાંચ મહિના પણ ઓછા પડે. ઉલ્લેખનીય છે કે પોતાની ફિલ્મ માટે તેઓ અહીં શૂટિંગ માટે આવ્યા છે. અહીંની મુલાકાત દરમિયાન મનોજ વાજપેયીએ જણાવ્યું કે જો કશ્મીરને
લઈને કોઈ નકારાત્મક ભ્રમ ફેલાયો છે તો તેને દૂર કરવો જોઈએ.
જેના માટે આપણાથી બનાતા તમામ પ્રયાસો કરવા જોઈએ. ફિલ્મ શૂટિંગ માટે અહીં આવવું જોઈએ એવું મારૂ માનવું છે. હું અગાઉ પણ કેટલીય વાર મારી ફિલ્મોના શૂટિંગ માટે આવ્યો છું. અહીં પાંચસોથી પણ વધારે ટુરિસ્ટ
પ્લેસ છે.