ઉત્તરપ્રદેશના ગાજીપુરમાંથી કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમના આ વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.
ઉત્તરપ્રદેશના ગાજીપુરમાંથી કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમના આ વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે. તો કેટલાક લોકોએ આ નિવેદનનો વીડિયો પણ વાયરલ કર્યો હતો.
આ મામલે વાત એવી છે કે, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા સૈદપુરની ટાઉન નેશનલ ઈન્ટર કોલેજમાં ભાજપના કિસાન મોર્ચા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે મનોજ સિન્હાએ પોતાની વોટબેંક ઊભી કરવા મટે વિવાદિત નિવેદન આપ્યુ.
Union Minister Manoj Sinha in Gazipur: BJP ka karyakarta apradh-arjit dhan aur bhrashtachar ko zameendoz karne ko taiyar hai aur main kehna chahta hun ki agar kisi ki ungli BJP ke karyakarta ki taraf dikhi to bharosa rakhiye 4 ghante mein vo ungli salamat nahi rahegi.(18/04/2019) pic.twitter.com/qzht3f35ky
મનોજ સિન્હાએ કહ્યું કે, ગુનો અને ભ્રષ્ટાચારથી મેળવેલા કાળા નાણાથી રાજનીતિ કરનારાઓની ખેર નથી. આવા ભ્રષ્ટ નેતાઓને ભાજપ ટકવા નહીં દે. ભાજપ કાર્યકર્તાઓને કોઈનાથી પણ ડરવાની જરૂર નથી.
કોઈ પણ વ્યક્તિ કાર્યકર્તાઓ તરફ આંગળી ઉઠાવશે તો ચાર જ કલાકમાં આંગળી તોડી નાખવામાં આવશે. કોઈની હેસિયત નથી કે ભાજપના કાર્યકર્તાઓ પર આંખ ઉઠાવીને જોઈ શકે. જો કોઈએ આંખ ઉઠાવીને જોઈ તો જમીનમાં દફન કરી દેવામાં આવશે.