પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મૂ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનશે. ઉપરાજ્યપાલ જીસી મુમુએ રાષ્ટ્રપતિને રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે જીસી મુમુ નવા CAG બની શકે છે.
જમ્મુ કશ્મીરના ઉપરાજ્યપાલનું રાજીનામુ: સૂત્ર
ઉપરાજ્યપાલ જીસી મુર્મુએ રાજીનામુ આપ્યુ: સૂત્ર
રાષ્ટ્રપતિને જીસી મુર્મુએ રાજીનામુ મોકલ્યુ: સૂત્ર
જીસી.મુર્મુ બની શકે છે નવા CAG
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મૂ અને કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનશે. બુધવારે સાંજે ગિરિશ ચંદ્ર મુર્મુએ પોતાનું રાજીનામું આપ્યું હતું. ગુરુવારે એટલે કે આજે સવારે રાષ્ટ્રપતિ ભનની તરફથી મનોજ સિન્હાની નિયુક્તિની જાહેરાત કરાશે.
मनोज सिन्हा जम्मू-कश्मीर के नए उपराज्यपाल होंगे | राष्ट्रपति रामनाथ कोविंद ने गिरीश चंद्र मुर्मू का इस्तीफा स्वीकार किया | pic.twitter.com/GyO31oBe8p
મનોજ સિન્હાને નવા એલજીની જવાબદારી સૌંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એકવાર ફરી જમ્મૂ કાશ્મીરના ઉચ્ચસ્થ પદ પર રાજનૈતિક રીતે એન્ટ્રી થઈ છે. આ પહેલા પણ જમ્મૂ કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું. ત્યારે સત્યપાલ મલિક અહીના રાજ્યપાલ હતા. પરંતુ જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો તો અધિકારી જીસી મુર્મુને મોકલવામાં આવ્યા હતા. તેમની ગણતરી પ્રધાનમંત્રી મોદીના ખાસ અધિકારીઓમાં થતી હતી.
જાણો કોણ છે મનોજ સિન્હા
મનોજ સિન્હા પૂર્વમાં ગાઝીપુરના સાંસદ રહી ચૂક્યા છે. આ સિવાય ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો મોટો ચહેરો છે. 2019ની લોકસભા ચૂટણીમાં તેઓ હાર્યા હતા. તેને એક મોટો ઝટકો માનવામાં આવે છે. મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં મનોજ સિન્હા મંત્રી રહી ચૂક્યા છે અને તેમની પાસે રેલ્વેના રાજ્યમંત્રી અને સંચાર રાજ્યમંત્રીનો કાર્યભાર હતો.
ઉલ્લેખનીય છે કે 2017ના વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી હતી ત્યારે મનોજ સિન્હા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ હતા. તે દિલ્હીથી વારાણસી પૂજા કરવા પહોંચ્યા અને તે આશામાં હતા કે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. પણમ પાર્ટીની તરફથી યોગી આદિત્યનાથને આગળ કરાયા. મનોજ સિન્હાની ગણતરી પીએમ મોદીના ભરોસાના નેતાઓમાં થાય છે.