એક્ટર મનોજ બાજપેયીને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. એક્ટર મનોજ બાજપેયી ફિલ્મોમાં પોતાના રોલથી લોકોના દિલમાં અને દિમાગ પર ચઢી ગયેલ મનોજની દરેક ફિલ્મો પોતાનામાં ખાસ અને અલગ છે. મનોજ બાજપેયી એવા સ્ટારમાંથી એક છે જે કોઇ પણ રોલમાં પોતાની એક અલગ ઓળખ બનાવે છે.
આ પ્રસંગે એક્ટરે પોતાની ખુશી શેર કરતાં કહ્યું, 'મારા સગાવહાલા, મિત્રો અને પ્રશંસકો આ પુરસ્કારથી ખૂબ ખુશ છું. એ સારી વાત છે કે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર મારી કોઇ પણ પ્રકારની ટીકા થઇ નથી અને ના કોઇએ મારું નામ પદ્મશ્રી પુરસ્કાપ વિજેતાઓના રૂપમાં જાહેર થવા પર વિવાદ ઊભો કર્યો. હું ખરેખરમાં ખુશ છું અને સારી વાત છે કે મને સમ્માન મળવા પર કોઇને આપત્તિ નથી.'
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી સમ્માન આપવામાં આવ્યું. મનોજ બાજપેયીને રાષ્ટ્રપતિ ભવનમાં આ સમ્માન આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિના વેરિફાઇડ ટ્વિટર પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં કોવિંદ મનોજને સમ્માનિત કરતા નજરે આવી રહ્યા છે. આ દરમિયાન ત્યાં સ્પોટર્સ દુનિયાના ઘણા લોકોને આ સમ્માન આપવામાં આવ્યું છે.
President Kovind presents Padma Shri to Shri Manoj Bajpayee for Art (Cinema). A renowned film actor, he is known for his versatile roles and has worked in more than 60 films pic.twitter.com/m0fmuIDwe7
આ દરમિયાન મનોજ પત્ની શબાના બાજપેયી સાથે પહોંચ્યો હતો. તમને જણાવી દઇએ કે આ વર્ષે 112 ખાસ લોકોના નામ પદ્મ એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવ્યા છે. એમાંથી 47 લોકોને 11 માર્ચે સાંજે સમ્માનિત કરવામાં આવ્યા હતા.
થોડાક દિવસો અગાઉ મનોજ બાજપેયી બોલીવુડમાં યોજાનારા અવોર્ડ્સને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. થોડાક દિવસો અગાઉ ફિલ્મફેર તરફથી 2018ને લઇને નૉમિનેશન્સ અનાઉન્સ કરવામાં આવ્યા હતા.