મીડિયા રિપોર્ટસ મુજબ, મનોજ બાજપેયીની માં ગીતા દેવીની સારવાર દિલ્હીના મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા તબિયતમાં થોડો ફેરફાર પણ થયો હતો. પરંતુ ડૉકટર તેમને બચાવી ના શક્યા. મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજપેયીનુ પણ નિધન ગયા વર્ષે થયુ હતુ. હવે માંનુ નિધન થતા તેઓ શોકાતુર છે. પોતાની માંની ખૂબ જ નજીક રહેલા અભિનેતા અવાર-નવાર પોતાની માં વિશે વાતચીત કરતા રહેતા હતા અને તેમના દ્વારા આપવામાં આવેલી સીખને યાદ રાખતા હતા.