ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોના બીજેપીમાં સામેલ થવાને લઇને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભગવા પાર્ટી પર નિશાન સાધ્યું છે. એમણે કહ્યું કે મારા પિતાના નિધન બાદ બીજેપીએ અલગ દિશા પકડી છે. ભગવા પાર્ટીમાં હવે વિશ્વાસ અને પ્રતિબદ્ધતા જેવા શબ્દો ખતમ થઇ ગયા છે.
દિવંગત મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ન્યૂઝ એજન્સી પીટીઆઇને કહ્યું કે, ''મારા પિતા મનોહર પર્રિકરના સમયે વિશ્વાસ અને પ્રતિબદ્ધતા જેવા શબ્દ બીજેપીના મૂલ હતા. પરંતુ 17 માર્ચ બાદ બંને શબ્દ ભગવા પાર્ટીથી ખતમ થઇ ગયા છે. 17 માર્ચ બાદ બીજેપીએ અલગ દિશા પકડી લીધી છે. એ તો સમય બતાવશે કે શું આ યોગ્ય છે? આપને જણાવી કે17 માર્ચને ગોવાના મુખ્યમંત્રી અને બીજેપીના નેતા મનોહર પર્રિકરનું નિધન થઇ ગયું હતું.
બુધવારે સાંજે બીજેપીમાં સામેલ થયા 10 કોંગ્રેસના ધારાસભ્યો
ગોવા વિધાનસભામાં કોંગ્રેસના 15 ધારાસભ્યો છે. જેમાથી 10 ધારાસભ્યો બુધવારે સાંજે બીજેપીમાં સામેલ થઇ રહ્યા છે. એમણે બુધવારે વિધાનસભા અધ્યક્ષને પાર્ટીથી રાજીનામુ આપવાની જાણકારી આપી હતી.
બીજેપીની વધી રાજ્યમાં તાકાત
આપને જણાવીએ કે કોંગ્રેસના 10 ધારાસભ્યોના સામેલ થયા બાદ 40 સભ્યો વાળા ગોવા વિધાનસભા ગૃહમાં બીજેપીના પક્ષમાં 27 ધારાસભ્યો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે નેતા પ્રતિપક્ષ સહિત 10 કોંગ્રેસ ધારાસભ્ય બીજેપીમાં વિલય થઇ ગયા છે.