ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવાર મોડી સાંજે 63 વર્ષની ઉંમદે નિધન થઇ ગયું. પર્રિકર પેન્ક્રિયાટિક કેન્સરનો સામનો કરી રહ્યા હતા. જેનો ઇલાજ એમ્સની હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. આજે તમને જણાવીએ પેન્ક્રિયાટિક કેન્સર શું છે, કેવી રીતે એને ઓળખી શકાય અને એનાથી બચવા માટે તમારે કઇ ચીજોનું ધ્યાન રાખવું જોઇએ.
આ બિમારી શું છે
પેન્ક્રિયાટિક કેન્સર શરીરના અગ્નાશયમાં થાય છે. જણાવી દઇએ કે માનવ શરીરનું સૌથી મહત્વનું અંગ હોય છે. અગ્નાશયમાં કેન્સર યુક્ત કોશિકાઓના જન્મના કારણે પેન્ક્રિયાટિક કેન્સરની શરૂઆત થાય છે. આ બિમારીનો શિકાર મોટાભાગે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો બને છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં વધારે પેન્ક્રિયાટિક કેન્સર થાય છે. આ કેન્સર આપણા શરીરમાં પેટ અને આંતરડાની વચ્ચે થાય છે. જો કે આ કેન્સર બીજા કેન્સરની સરખામણીએ ઓછા થાય છ, પરંતુ જો એના શરૂઆતના સ્ટેજ પર ખબર ના પડે તો જીવલેણ બની શકે છે.
પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણ
પેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત વ્યક્તિના પેટના ઉપરના ભાગમાં દુખાવો રહે છે.
એની સ્કીન, આંખ અને યૂરિનનો કલર પીળો થાય છે.
એને ઉલ્ટીઓ, જીવ ગભરાય એવી ફરિયાદ રહે છે.
આ બિમારીથી પીડિત વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે.
પેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત વ્યક્તિનું સતત વજન ઓછું થતું જાય છે.
આવા વ્યક્તિઓને દરેક સમયે કમજોરી મહેસૂસ થાય છે.
પેન્ક્રિયાટિક કેન્સરના કારણ
પેન્ક્રિયાટિક કેન્સર રેડ મીટ અને ચરબી વાળો ખોરાકનું વધારે પડતું સેવન કરવાથી પણ થાય છે.
શરીરમાં મેદસ્વિતાલ હોવાના કારણે પણ વ્યક્તિ આ બિમારીનો શિકાર બને છે.
જો વ્યક્તિને વધારે સમય સુધી અગ્નાશયમાં દુખાવો થઇ રહ્યો હયો તો આ બિમારી હોવાની શક્યતા રહે છે. એવામાં ડોક્ટરની તરત સલાહ લેવી જોઇએ.
વધારે પડતું ધૂમ્રપાન કરવાથી વ્યક્તિ આ બિમારીની ચપેટમાં આવી શકે છે.
આ બિમારી થવા પાછળ ઘણી વખત આનુવાંશિક કારણ પણ હોઇ શકે છે.
આ બિમારીથી કેવી રીતે બચી શકાય.
આ બિમારીથી બચવા માટે તાજા ફળોનો રસ અને લીલા શાકભાજીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઇએ. આવું કરવાથી અગ્નાશય કેન્સર સામે લડવામાં લાભ મળે છે.
આ બિમારીથી બચવા ઇચ્છો છો તો તમારા આહારમાં ઓછોમાં ઓછું રેડ મીટ ખાવ.
પેન્ક્રિયાટિક કેન્સરના ઉપચારમાં બ્રોકલીને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. બ્રોકલીમાં મોજૂદ ફાઇટોકેમિકલ્સથી, કેન્સરની કોશિકાઓ સામે લડવામાં મદદ મળે છે. બ્રોકલી એન્ટી ઓક્સીડેન્ટ હોવાની સાથે લોહીને સાફ રાખવામાં પણ મદદ કરે છે.
ગ્રીન ટી, લસણ, સોયાબીન અને એલોવેરાનું સેવન કરવાથી આ બીમારીમાં ઘણો ફાયદો થાય છે.