હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર સરકારની સામે લવાયેલી કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત ઉડી જતા સરકાર પાડવાનો કારસો નિષ્ફળ ગયો છે.
વિધાનસભામાં કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત ઉડી
55 ધારાસભ્યોનું સરકારના પક્ષમાં મતદાન
સરકારની વિરુદ્ધમાં 32 વોટ પડ્યાં
બુધવારે અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન થયું હતું. 32 ધારાસભ્યોએ અવિશ્વાસની તરફેણમાં વોટ આપ્યો જ્યારે 55 ધારાસભ્યોએ સરકારના પક્ષમાં મતદાન કરતા કોંગ્રેસની દરખાસ્ત ધરાશાયી થઈ હતી. અવિશ્વાસની દરખાસ્તમાં જીત થતા ભાજપ-જેજેપી ગઠબંધન સરકાર સત્તામાં ચાલુ રહેશે.
હરિયાણા વિધાનસભાનું બજેટ સત્ર શરુ થતા વિપક્ષી દળ કોંગ્રેસે મનોહરલાલ ખટ્ટરની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સ્પીકરની મંજૂરી બાદ વિપક્ષી નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ પ્રસ્તાવ પર બોલવાનું શરુ કર્યું હતું. પ્રસ્તાવ રજૂ કર્યા બાદ હુડ્ડાએ સીક્કેટ વોટિંગની પણ માગ કરી.
'No Confidence' is Congress' culture. When the party loses polls, there's no confidence on EVMs, for surgical strikes, it asked for evidence. 'Alochana for sake of alochana nahi karni chahiye'. If Congress is in power, all is well, but if it's BJP,then not: Haryana CM in Assembly pic.twitter.com/mju8nZE3Aa
કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત ઉડી જતા મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે ટીકા કરવી વિપક્ષનું કામ છે પરંતુ હું કહું છું કે તમે દર છ મહિનામાં અવિશ્વાસની દરખાસ્ત લઈને આવો. તેમણે કહ્યું કે અવિશ્વાસની દરખાસ્ત લાવવી કોંગ્રેસની સંસ્કૃતિ છે. જ્યારે કોંગ્રેસ ચૂંટણી હારી જાય છે ત્યારે તે ઈવીએમ પર શક કરે છે, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગે છએ. જો કોંગ્રેસ સત્તામાં રહે તો બધુ બરોબર અને ભાજપ સત્તામાં રહે તો બધુ ખોટુ.ખટ્ટરે કહ્યું કે અવિશ્વાસ કોંગ્રેસની જુની સંસ્કૃતિ છે. કોંગ્રેસ સંગઠનની અંદર જ અવિશ્વાસ જોવા મળે છે. અવિશ્વાસની કાર્યશૈલીથી કોંગ્રેસને કોઈ લાભ થવાનો નથી. વિશ્વાસ જ લાભ આપશે.
હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચોટાલાએ વિધાનસભામાં જણાવ્યું કે 10 વર્ષથી એવો નારો લાગી રહ્યો છે કે હુડ્ડાના રાજમાં ખેડૂતોની જમીન ગઈ વ્યાજમાં. અમે 1 વર્ષમાં 30,000 કરોડ રુપિયાના ખર્ચે અલગ અલગ પાક એમએસપી પર ખરીદ્યાં છે.