મન કી બાત કાર્યકર્મ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવે છે.
અત્યાર સુધી 30.80 કરોડ રૂપિયાની કમાણી થઈ
વર્ષ 2017-18માં સૌથી વધુ 10.64 કરોડની કમાણી થઈ
વ્યૂઅરશીપ 14.35 કરોડ રહી
અત્યાર સુધી 30.80 કરોડ રૂપિયાની કમાણી થઈ
PM મોદીના મન કી બાત કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી 30.80 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સોમવારે રાજ્યસભામાં આ જાણકારી આપવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે 2014થી અત્યાર સુધીમાં કુલ 30.80 કરોડ રૂપિયાની કમાણી થાય છે. વર્ષ 2017-18માં સૌથી વધુ 10.64 કરોડની કમાણી થઈ છે. મન કી બાત કાર્યકર્મ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવે છે.
વર્ષ 2017-18માં સૌથી વધુ 10.64 કરોડની કમાણી થઈ
અનુરાગ ઠાકુરે એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું કે પ્રસાર ભારતી તરફથી અત્યાર સુધીમાં મન કી બાતના 78 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા છે. રેડિયો અને દૂરદર્શનની સાથે સાથે 91 પ્રાઇવેટ ચેનલો અને DTH પ્લેટફોર્મ પર આ કાર્યક્રમનું પ્રસારણ થયું છે. મંત્રાલય તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર પહેલા વર્ષમાં 1.16 કરોડ રૂપિયાનું રેવન્યુ જનરેટ થયું હતું. બીજ વર્ષમાં એટલે કે વર્ષ 2015 -16માં આ આંકડો વધીને 2.81 કરોડ થયો હતો, આ પછી 2016-17 માં આ આંકડો 5.14 કરોડ પહોંચ્યો હતો.
વ્યૂઅરશીપ 14.35 કરોડ રહી
સૌથી વધુ 10.64 કરોડ રૂપિયા વર્ષ 2017-18માં આવ્યા. 2018-19 માં આંકડો 7.47 કરોડ રૂપિયાનો હતો. 2019-20 માં 2.56 કરોડ રૂપિયા મળ્યા હતા. વર્ષ 2020-21 ની વાત કરીએ તો આ વર્ષમાં 1.02 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ થઈ હતી. આ કાર્યક્રમની વ્યૂઅરશીપ 14.35 કરોડ રહી.