નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 32મી વખત "મન કી બાત"કાર્યક્રમ દ્વારા દેશનું સંબોધન કર્યું હતું. સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકતંત્રમાં સરકારે જવાબદારી લેવી જોઇએ. તેણે પોતાના કામનો હિસાબ આપવો જોઇએ. મોદીએ દેશના દરેક લોકોને દેશવાસીઓને રમઝાનની શુભકામનાઓ આપી. મોદીએ મુસલમાનોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ કહ્યું કે આ પવિત્ર મહિનો દેશમાં શાંતિ એકતા અને સદભાવના વધારવામાં સહાયક થશે. અમે સવા સો કરોડ દેશવાસીઓ એ વાતનો ગર્વ કરી શકીએ છીએ કે દુનિયાના દરેક સંપ્રદાય ભારતમાં હાજર છે. દરેક પ્રકારની વિચારધારા દરેક પ્રકારની પૂજા પદ્ધતિ દરેક પ્રકારની પરંપરા અમે લોકોએ એક સાથે જીવવાની કળા આત્મસાત કરી છે. હું ખૂબ ખુશ છું કે આપણી યુવા પેઢી દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામો માટે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. આજે વીર સાવરકરની જન્મજયંતિ છે. હું દેશની યુવા પેઢીને કહીશ કે કોઇક દિવસ ચાન્સ મળે તો આપણી આઝાદીની જંગના તીર્થ ક્ષેત્ર સેલ્યુલર જેલ જરૂરથી જાય.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 21 જૂન ત્રીજો યોગ દિવસ હશે. યોગ માત્ર વ્યાયામ નથી. સ્વાસ્થ્ય અને તંદુર્સતી બંનેની ગેરંટી તન મન શરીર વિચાર અને આચારથી સ્વસ્થાની અંતયાત્રાનો અનુભવ યોગના માધ્યમથી શક્ય છે. એક ભલામણ એવી છે કે એક પરિવારની ત્રણ પેઢી એક સાથે યોગ કરે અને તેનો ફોટો અપલોડ કરે. તમે નરેન્દ્ર મોદી એપ અથવા તો MyGov એપ પર આ ફોટો શેર કરી શકો છો. હું 1 જૂનથી ટ્વિટર પર યોગથી સંબંધિત વાતો અને આ ફોટો શેર કરવામાં આવશે. મોદીએ કહ્યું કે અમારી સરકારના ત્રણ વર્ષ પૂરા થયા. અનેક સર્વે અને ઓપિનિયલ પોલ આવ્યા જેમાં ઘણામાં અમારી પ્રશંસા થઇ તો ઘણામાં અમારી ટીકા કરવામાં આવી પરંતુ આ તમામ અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે અમારા ત્રણ વર્ષના કામકાજને તમામ કસોટીમાં પારખ્યા છે.
મોદીએ કહ્યું કે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાવવાનો વૈશ્વિક અભિયાન આપણા પોતાનું પણ અભિયાન બનવું જોઇએ. વેદોમાં પૃથ્વી અને પર્યાવરણને શક્તિનું મૂળ માનવામાં આવે છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે જે શુદ્ધતા છે એ આપણી પૃથ્વીનું કારણ છે. તેમણે વધુમાં કહ્યું કે "કૂડા કચરાને માત્ર કચરો ન માનો. તેને સંપત્તિ માનો. એ એક રિસોર્સ છે. તેને રિસોર્સની જેમ લેશો તો સ્ટાર્ટ-અપમાં જોડાયેલ જવાનો વેસ્ટ મેનેજમેન્ટ માટે નવી યોજનાઓ નવા ઇક્વિપમેન્ટ લઇને આવશે." "વિશ્વ પર્યાવરણના દિવસના પ્રસંગે દેશના 4 હજાર નગરોમાં સોલિસ અને લિક્વિડ વેસ્ટને કલેક્ટ કરવા માટે વાદળી રંગની અને લીલા રંગની કચરાપેટી ઉપલબ્ધ હશે જેમાં સૂકા કચરા વાદળી રંગની કચરાપેટીમાં અને ભીનો કચરો લીલા રંગની કચરાપેટીમાં નાંખો. એ જે કચરો છે એને આપણે નકામો માનવો જોઇએ નહીં. એક વખત જો આ કચરાને આપણે વેલ્થ માનવાનું શરૂ કરીશું તો વેસ્ટ મેનેજમેન્ટમાં આપણી સામે નવી નવી રીતો આવશે."
આ વખતે PM મોદીની મનની વાતને ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હીના આર.કે પુરમ વિસ્તારમાં ગરીબ લોકોની સાથે રેડિયો પર સાંભળી. તો ભાજપ ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવે અમદાવાદમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેસીને PM મોદીના મનની વાત સાંભળી. નોંધનીય છે કે મોદી સરકારના 3 વર્ષ પૂરા થવા પર 26 મેંના રોજ મનની વાતને પુસ્તકના રૂપમાં લોન્ચ કરવામાં આવી. મનની વાત એ સોશિયલ રિવોલ્યુશન ઓન રેડિયો અને માર્ચિંગ વિધ એ બિલિયન- એનાલાઝિંગ નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ એટ મિડટર્મના નામે બે પુસ્તક લોન્ચ કરવામાં આવી હતી.