ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે પીએમ મોદીએ મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
પીએમ મોદી મન કી બાતમાં કર્યું સંબોધન
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પીએમનું સંબોધન
ભારતમાં કોરોના વાયરસના કારણે ઑક્સીજન અને દવાઓની અછત
ભારતમાં કોરોના વાયરસનો કાળ લોકોનો ભોગ લઈ રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે કોરોના વાયરસ આપણાં બધાના ધીરજની પરીક્ષા લઈ રહ્યો છે.
કોરોનાની પહેલી વેવનો સફળતાપૂર્વક મુકાબલો કર્યા બાદ દેશ આત્મવિશ્વાસથી ભરપૂર હતો પરંતુ આ બીજી લહેરે દેશને હચમચાવી નાંખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસથી લડવા માટે પોઝિટિવ સ્પિરિટની ખૂબ જરૂરી છે અને દેશવાસીઓ તે બનાવી રાખવાનું છે. લોકો કોઈ પ્રકારની ભ્રમણામાં આવે નહીં, કેન્દ્ર બધા રાજ્યોને વેક્સિન મોકલી રહ્યું છે અને ફ્રી વેક્સિનેશન ચાલુ જ રહેવાનું છે.
"साथियो, बीते दिनों इस संकट से निपटने के लिए, मेरी, अलग-अलग sectors के expert के साथ, विशेषज्ञों के साथ लम्बी चर्चा हुई है।"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) April 25, 2021
પીએમ મોદીએ મન કી બાતમાં ડૉક્ટરોને પણ જોડ્યા હતા જેમાંથી ડૉક્ટર શશાંકે કહ્યું કે બીજી લહેર પૂરની જેમ આવી છે પરંતુ તેજીથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મ્યુટેશનથી ડરવાની જરૂર નથી, જેમ આપણે કપડાં બદલીએ તેમ વાયરસ રંગ બદલ્યા કરે છે અને આમાં કશું ડરવા જેવી વાત નથી.
ये mutation होते रहते हैं जैसे हम कपड़े बदलते हैं वैसे virus भी अपना रंग बदल रहा है और इसलिए बिलकुल डरने की बात नहीं है और ये wave को हम पार कर देंगे...
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) April 25, 2021
લોકોને આગ્રહ કરું છું કે કોઈ પણ જાણકારી જોઈએ તો સાચા સોર્સ પાસેથી માહિતી મેળવો, તમારા ફેમિલી ડૉક્ટર કે પછી આસપાસના ડૉક્ટરની સલાહ લો : પીએમ મોદી
"साथियो, मैं आप सबसे आग्रह करता हूँ, आपको अगर कोई भी जानकारी चाहिए हो, कोई और आशंका हो, तो सही source से ही जानकारी लें। आपके जो family doctor हों, आस-पास के जो डॉक्टर्स हों, आप उनसे फ़ोन से संपर्क करके सलाह लीजिये।"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) April 25, 2021
નર્સ સાથે પીએમ મોદીની વાતચીત
જુઓ શું કહ્યું પીએમ મોદીએ :
ભારતમાં કોરોના વાયરસની સુનામી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (25 એપ્રિલ, 2021)
ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે 2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ભારતમાં 2,17,113 દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત પણ મેળવી.