અમેરિકાના પ્રવાસ બાદ આજે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. PM મોદીએ કહ્યું કે મેં મન કી બાત અમેરિકા જતાં પહેલા જ રેકોર્ડ કર્યું હતું.
મન કી બાતની શરૂઆતમાં જ નદી દિવસની આપી શુભકામના
નોંધનીય છે કે આજે મન કી બાતની શરૂઆતમાં જ પીએમ મોદીએ નદી દિવસ પર શુભકામના આપી હતી અને નદીઓને લઈને શું મહિમા છે તથા સંસ્કૃતિ સાથે શું સંબધ છે તેના પર નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે નદીઓ પોતાનું પાણી ક્યારેય પીતી નથી. પીએમ મોદીએ કહ્યું કે નદીઓ આપણાં માટે ભૌતિક સાધન નથી, આપણાં માટે નદી એક માતા છે.
નદીઓને લઈને શ્લોક યાદ કર્યો
"और वो क्या था भारत में स्नान करते समय एक श्लोक बोलने की परंपरा रही है-
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) September 26, 2021
પીએમ મોદીએ કહ્યું કે જે સાબરમતી નદીના કિનારે ગાંધીજીએ આશ્રમની સ્થાપના કરી તે દાયકાઓથી સુકાઈ ગઈ હતી. વર્ષમાં છ આઠ મહિના જ તેમાં પાણી દેખાતું પણ ન હતું. પણ આજે નર્મદા નદી અને સાબરમતી નદીનું પાણી જોડી દેવામાં આવ્યું છે અને આજે તમે અમદાવાદ જશો ત્યારે સાબરમતી નદીનું પાણી જોઈને મન પ્રફુલ્લિત થઈ જશે.
"साल में 6-8 महीने पानी नजर ही नहीं आता था, लेकिन नर्मदा नदी और साबरमती नदी को जोड़ दिया, तो अगर आज आप अहमदाबाद जाओगे तो साबरमती नदी का पानी ऐसा मन को प्रफुल्लित करता है |"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) September 26, 2021
તમિલનાડુમાં મહિલાઓએ જે કરી બતાવ્યું તેના કર્યા વખાણ
પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુમાં નાગાનધિ નામક નદી જે વર્ષોથી સુકાઈ ગઈ હતી તેને ફરિથી જીવિત કરવા માટે મહિલાઓએ આંદોલન હાથમાં લીધું અને આજે ફરીએ નદી વહેવા લાગી છે.
"आप को भी जानकर के खुशी होगी साथियों कि आज वो नदी पानी से भर गई है | और जब नदी पानी से भर जाती है न तो मन को इतना सुकून मिलता है मैंने प्रत्यक्ष से इसका अनुभव किया है |"