પ્રધાનમંત્રી મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' કરી રહ્યા છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતમાં બની રહેલી વસ્તુઓની દુનિયામાં ડિમાન્ડ, એક્સપોર્ટમાં મેળવેલી સિદ્ધિઓ પર વાત કરી હતી.
પીએમ મોદીની મન કી બાત
કાર્યક્રમ મહિનાના અંતિમ રવિવારે થાય છે
પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો
પ્રધાનમંત્રી મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' કરી રહ્યા છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતમાં બની રહેલી વસ્તુઓની દુનિયામાં ડિમાન્ડ, એક્સપોર્ટમાં મેળવેલી સિદ્ધિઓ પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ રેડિયો સંબોધન દર મહિનાના અંતિમ રવિવારે હોય છે. પીએમ મોદી દર મહિનાની માફક આ વખતે પણ કાર્યક્રમ માટે જનતા પાસેથી સૂચનો મગાવ્યા અને ફરિયાદો સાંભળી હતી. લોકોએ મોટી સંખ્યામાં પોતાની ફરિયાદો અને સચૂનો સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યા હતા.
આપને જણાવી દઈએ કે, દર મહિને આવતા આ રેડિયો કાર્યક્રમની આ 87મી કડી હતી. તેનું સીધુ પ્રસારણ આકાશવાણી, દૂરદર્શન, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ વિભાગની યૂટ્યૂબ ચેનલ પર કરવામાં આવે છે.
ભારતીય સામાનની વિશ્વમાં ડિમાન્ડ વધી
પીએમ મોદીએ પોતાના કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણા દેશમાંથી 30 લાખ કરોડની નિકાસ થઈ છે, જે એક રીતે ઐતિહાસિક છે. તેમણે કહ્યું કે, ભારતે 400 અબજ ડોલરની નિકાસનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. આ ભારતની ક્ષમતાઓને દર્શાવે છે. તેનો અર્થ એ છે કે, દુનિયામાં ભારતીય સામાનોની માગ વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, એક સમયે ભારતમાં એક્સપોર્ટનો આંકડો ક્યારેય 100 મિલિયન, તો ક્યારેય દોઢસો બિલિયન સુધી કરતા હતા. આજે ભારત 400 બિલિયન ડોલર સુધી પહોંચી ચુક્યું છે. જેનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે, ભારતમાં બની રહેલી વસ્તુઓની ડિમાન્ડ વિશ્વમાં વધી રહી છે.
ગોદાવરી નદીના કિનારે કામ કરતા આ ભાઈનો ઉલ્લેખ કર્યો
તેમણે વધુમાં કહ્યું કે, આપણે જોયું છે કે, કતરના એક યોગ કાર્યક્રમમાં 114 દેશોએ ભાગ લઈને ઈતિહાસ બનાવી દીધો હતો. તેમણે પોતાના સંબોધન દરમિયાન સ્ટાર્ટઅપ વર્લ્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. મન કી બાતમાં તેમણે ચંદ્રકિશોર પાટિલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમની સ્વચ્છતાને લઈને કરેલા કામ સરાહનિય છે. તે ગોદાવરી નદીમાં લોકોને કચરો ફેંકતા રોકે છે. તેમણે કહ્યું કે, પાટિલજીનું આ કામ લોકોને મોટી પ્રેરણા આપે છે.
પાણીના સંરક્ષણ પર કરી આ વાત
સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ઘણા બધાં લોકો પાણી કંજરવેશન પર ખૂબ કામ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રના રોહનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે મહારાષ્ટ્રના સૈંકડો સીડીવાળા કુઆને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવા કેટલાય લોકો છે કે, જેમણે પાણી સંરક્ષણનું કામ કર્યું છે.