મનમોહનસિંહ 1991માં કોંગ્રેસની સરકાર સમયે નાણાંમંત્રી હતા અને 24 જુલાઇ 1991 ના દિવસે પોતાના મંત્રાલયનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.
મનમોહનસિંહ 1991માં કોંગ્રેસની સરકાર સમયે નાણાંમંત્રી હતા
આર્થિક વ્યવસ્થા 1991ની સ્થિતિ કરતાં પણ વધુ ખરાબ હશે
અત્યારે ખુશી મનાવવાનો ટાઈમ નથી
મનમોહનસિંહ 1991માં કોંગ્રેસની સરકાર સમયે નાણાંમંત્રી હતા
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની આગળની આર્થિક વ્યવસ્થા 1991ની સ્થિતિ કરતાં પણ વધુ ખરાબ હશે તેવું જણાવ્યું છે. 1991 ના ઐતિહાસિક બજેટને 30 વર્ષ પૂરા થવાના આ અવસર પર શુક્રવારે તેમણે કહ્યું છે કે કોરોના મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આગળનો સમય 1991 કરતાં પણ વધુ ચિંતાજનક હશે અને એવામાં એક રાષ્ટ્રની રીતે ભારતે પોતાની પ્રથમિક્તાઓને ફરી નિર્ધારીત કરવી પડશે.
આર્થિક વ્યવસ્થા 1991ની સ્થિતિ કરતાં પણ વધુ ખરાબ હશે
મનમોહનસિંહ 1991માં કોંગ્રેસની સરકાર સમયે નાણાંમંત્રી હતા અને 24 જુલાઇ 1991 ના દિવસે પોતાના મંત્રાલયનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને જ દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો મનાય છે. તેમણે એ બજેટને રજૂ કરવા માટેના 30 વર્ષ પૂરા થવાના અવસર પર કહ્યું કે "1991માં 30 વર્ષ પહેલા, કોંગ્રેસ પાર્ટીએ ભારતની અર્થ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારા કરવાની શરૂઆત કરી હતી અને દેશની આર્થિક નીતિને એક નવો માર્ગ બતાવ્યો હતો.
અત્યારે ખુશી મનાવવાનો ટાઈમ નથી
મનમોહન સિહે એક વાતમાં કહ્યું કે છેલ્લા ત્રણ દશકોમાં જે પણ સરકાર આવી તેણે આ માર્ગનું અનુસરણ કર્યું અને દેશની અર્થવ્યવસ્થા ત્રણ હજાર અરબ ડોલર કરવામાં આવી. આ દુનિયાની બધી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આ સમયમાં 30 કરોડ ભારતીય નાગરિકો ગરીબીમાંથી બહાર નીકળ્યા અને કરોડો નોકરીઓનું સર્જન થયું. જેના કારણે ભારતમાં કેટલીય વિશ્વ સ્તરીય કંપનીઓ આવી અને આપણે વૈશ્વિક તાકાત બનીને બહાર આવ્યા. તેમણે એક બીજી વાતમાં એમ પણ કહ્યું કે "અત્યારે આનંદ અને મગ્નમાં રહેવાનો સમય નથી, પણ આત્મમંથન અને વિચાર કરવાનો સમય છે. એક રાષ્ટ્રની રીતે ભારતે પોતાની પ્રથમિક્તાઓને ફરી નિર્ધારીત કરવી પડશે. "