મનમોહન સિંહની જૂની ટીપ્પણી વર્તમાની મોદી સરકારનો માટે બચાવનો મોટું સાધન બની ચુકી છે. હાલમાં રિઝર્વ બેંક અને સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રિઝર્વ બેંક સાથેના ભૂતકાળના વિવાદ અંગેનો ઉલ્લેખ મનમોહન સિંહે તેમની પુત્રીના પુસ્તકમાં કર્યો હતો.
વર્ષ 2014માં પ્રકાશિત થયેલા પુસ્તક સ્ટ્રિકલી પર્સનલ: મનમોહન ગુરુશરણમાં મનમોહન સિંહને કહ્યું છે કે રિઝર્વ બેંકના ગવર્નર કરતા નાણા મંત્રીનું કદ વધારે હોય છે. એટલે રિઝર્વ બેંકના ગવર્નર નાણા મંત્રાલય તરફથી મળતા આદેશને ટાળી ન શકે.
મનમોહન સિંહે આટલેથી ન અટકતા વધુમાં ટિપ્પણી કરી છે કે જો રિઝર્વ બેંકના કોઇપણ ગવર્નરને નોકરી છોડવી હોય તો તે ગવર્નર નાણા મંત્રીની અવગણના કરે. ઇન્દીરા ગાંધીના શાસન સમયે મનમોહન સિંહ રિઝર્વ બેંકના ગવર્નર હતા અને તે સમયે પણ સરકાર અને નાણા મંત્રાલય વચ્ચે ખેંચતાણ થઇ હતી.
આ વિવાદનો ઉલ્લેખ કરતા મનમોહનસિંહે કહ્યું છે કે મારા સમયે થયેલા વિવાદ સહમતીથી ઉકેલ્યા હતા. એટલે મનમોહન સિંહની ટિપ્પણી હાલની હાલની મોદી સરકાર માટે ઉર્જીત પટેલનો સામનો કરવા બળ પુરુ પાડશે.