પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh)નો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો. એમણે 2004થી 2014 વચ્ચે દેશના વડાપ્રધાન પદ પર રહ્યા. શાંત અને સહજ અર્થશાસ્ત્રી ડૉ. સિંહને તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહ રાવના કાર્યકાળમાં નાણામંત્રી રૂપે કરવામાં આવેલા આર્થિક સુધારાનો શ્રેય પણ જાય છે.
26 સપ્ટેમ્બર 1932ના દિવસે થયો હતો ડૉ. મનમોહન સિંહનો જન્મ
મનમોહન સિંહને 90ના દાયકામાં આર્થિક સુધારાઓ માટે યાદ કરવામાં આવે છે
વર્ષ 2004 અને 2009માં વડાપ્રધાન બન્યા, વર્તમાનમાં છે રાજ્યસભા સભ્ય
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ગુરુવારે 87 વર્ષના થયા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે અવિભાજિત ભારતના પંજાબ (હાલના પાકિસ્તાન) ના એક ગામમાં મનમોહન સિંહનો જન્મ થયો હતો. ડૉ. મનમોહન સિંહ બે વાર વડાપ્રધાન રહી ચૂક્યા છે. વર્તમાનમાં તે રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય છે.
મનમોહન સિંહના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના પાઠવી હતી. જ્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાય નેતાઓ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ડૉ. સિંહને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી કર્યું કે, આપણા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ જીને તેમના જન્મદિવસ પર શુભકામના. હું તેમના લાંબા અને સ્વસ્થ્ય જીવન માટે પ્રાર્થના કરું છું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. પોતાના જીવનની શરૂઆતના 12 વર્ષ સુધી એમણે ગામમાં રહ્યા, જે ગામમાં ન વીજળી હતી, ન સ્કૂલ હતા, ન હોસ્પિટલ હતી અને ન પાઇપલાઇનથી પૂર પાડવામાં આવતું પાણી હતું.
મનમોહન સિંહના મીડિયા સલાહકાર રૂપે 2004થી 2008 સુધી કામ કરી ચૂકેલા સંજય બારૂ મુજબ, મનમોહન સિંહ સ્કૂલ જવા માટે રોજ ઘણા કિલોમીટર દૂર સુધી ચાલતા હતા અને રાત્રે કેરોસિન તેલના દીવા (બત્તી)ની મંદ રોશનીમાં અભ્યાસ કરતા હતા. એકવાર એમને જ્યારે એમની કમજોર નજરને લઇને પૂછવામાં આવ્યું હતું તો એમણે જણાવ્યું હતું કે, તે મંદ રોશનીમાં કલાકો સુધી પુસ્તકો વાંચતા હતા.
તેમનો પરિવાર 1947માં વિભાજન દરમિયાન ભારતના અમૃતસર આવ્યા હતા. એમણે ખુબ જ નાની ઉમંરમાં જ પોતાની માતાને ગુમાવ્યા હતા અને તેમની દાદીએ જ તેમનો ઉછેર કર્યો. એમણે પંજાબ વિશ્વવિદ્યાલયથી 1954માં અર્થશાસ્ત્રમાં એમએ (MA) ની ડિગ્રી હાંસલ કરી હતી. પોતાના એકેડેમિક કરિયરમાં એમણે કેબ્રિંજ યુનિવર્સિટીથી અર્થશાસ્ત્ર ટ્રાઇપોજ પૂર્ણ કર્યું. જ્યાં એમણે 1957માં સેન્ટ જોન્સ કોલેજના સભ્ય હતા.
ત્યારબાદ ઓક્સફોર્ડથી અર્થશાત્રમાં ડોક્ટરેટની ડિગ્રી હાંસલ કર્યા બાદ મનમોહન સિંહે વર્ષ 1966-69 સુધી સંયુક્ત રાષ્ટ્ર (UN) માં કામ કર્યું હતું. 1969થી 1971 સુધી એમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારના શિક્ષક હતા. 1970 અને 80ના દાયકામાં એમને સરકારમાં ઘણા પદો પર પોતાની સેવા આપી. જેમકે, મુખ્ય આર્થિક સલાહકાર (1972-76), ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર (1982-85) અને યોજના આયોગના પ્રમુખ (1985-87). વર્ષ 1991ના જૂનમાં વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવે એમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી અને નાણામંત્રીના રૂપે એમણે ભારતની અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવા માટે ઘણા સંરચનાત્મક સુધારા કર્યા.
હંમેશા શાંત-સામાન્ય અને સહજ જોવા મળતા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહએ એકવાર કહ્યું હતું કે, તે નથી ઇચ્છતા કે લોકો તેમની 'ગરીબીની પૃષ્ઠભૂમિ' પર દયા ખાય અને તેને લઇને પોતાના ઉત્તરાધિકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઇ પ્રતિસ્પર્ધા કરવા ઇચ્છતા નથી. ડૉ. મનમોહન સિંહે કહ્યું, '' હું નથી ઇચ્છતો કે મારી પૃષ્ઠભૂમિ વિશે જાણીને દેશ મારા પર દયા ખાય. હું નથી સમજતો કે આ મામલામાં વડાપ્રધાન મોદીજી સાથે હું કોઇ પ્રતિસ્પર્ધામાં છું.''
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવેલો એક સવાલ, જેમા એમને પૂછવામાં આવ્યું હતું કે, તે પોતાની ગરીબીની પૃષ્ઠભૂમિ વિશે વાત કેમ કરતા નથી, જે રીતે મોદી હંમેશા બાળપણમાં પોતાના પરિવારની મદદ માટે ગુજરાતના રેલવે સ્ટેશન પર ચા વેચવાની વાત કરે છે.
બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમેરને થોડા દિવસો પહેલા પોતાના પુસ્તક 'ફોર ધ રેકોર્ડ' માં મનમોહન સિંહને 'સંત પુરુષ' ગણાવ્યા હતા. એમણે કહ્યું હતું કે, મનમોહન સિંહ 'સંત પુરુષ' છે પરંતુ ભારતના ખતરા વિરુદ્ધ કડક વલણ પણ રાખતા હતા.