પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો નાણાંકીય સંસદીય સ્થાયી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મનમોહન સિંહ રાજ્યસભાના સાંસદ તરીકે બીજી વખત ચૂંટાયા છે. મનમોહન સિંહ ઓગસ્ટમાં રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે.
મનમોહન સિંહનો નાણાંકીય સંસદીય સ્થાયી સમિતિમાં કરાયો સમાવેશ
સભાપતિએ રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહને પણ શહેરી વિકાસ મામલાની સમિતિના નામાંકન કરવામાં આવ્યું છે. દિગ્વિજયસિંહનું 6 નવેમ્બર, 2019થી પ્રભાવિત થશે. મનમોહન સિંહ 1991થી 1996 દરમિયાન નાણામંત્રી રહ્યાં છે. આ વર્ષના સપ્ટેમ્બરમાં રાજ્યસભાના સભ્યનો પોતાનો પૂર્ણકાળ પૂર્ણ કરવા પહેલા જ સપ્ટેમ્બર 2014થી લઇને 2019 સુધી સમિતિના સભ્ય હતા.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિંહા 31 સભ્યની આ સમિતિના અધ્યક્ષ છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ મનમોહન સિંહનો નાણાંકીય સંસદીય સમિતિમાં સામેલ કરવાના હેતુના કારણે દિગ્વિજય સિંહે આ સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું.